SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ કંટાળો તેને આવે જેને પિતાના માર્ગની માહિતી ન હોય. કંટાળો તેને આવે જેને પોતાનો માર્ગ નિરસ લાગે. કંટાળો તેને આવે જે આપત્તિનું સાચું સ્વરૂપ ન જાણતો હેય. કંટાળો તેને આવે જેને રાત્રિના અંધકાર પછી મંગલ પ્રભાત થવાનું છે તેની ખબર નથી. પૃથ્વીમાં બીજ દટાય નહિ તો બીજ વૃક્ષની ભવ્યતા પામી શકે? પત્થર ટાંકણા ન સહન કરે તે મનહર મૂર્તિ બની શકે? પાયાનો પથ્થર બની જમીનમાં દટાય નહિ તો ઉત્તુંગ શિખરનાં દર્શન શક્ય બને ? બે તટની મર્યાદામાં સરિતા ન વહે તો પવિત્ર પાવની લોકમાતા બની શકે? કચરો-મોતી કે છીપલા જે આવે તેને સમાવે નહિ તે સમુદ્ર રત્નાકર બની શકે? ગર્ભની પીડા સ્ત્રી સહન ન કરે તો માતૃત્વને મંગલ આનંદ માણી શકે? જીવનનું કયું ક્ષેત્ર છે કે જ્યાં વેદના વગર સુખ છે? સાધક ! તું તો સાધના ઉપાસક ! તેં તો દીક્ષાના દિવસે મંત્ર ઉચ્ચાર્યો છે કે અનુદવિગ્ન થઇશ. અનુદવિગ્ન એટલે? સુખ માટે ધર્મથી પીછે હઠ નહિ કરનાર, અનુદવિગ્ન એટલે કર્તવ્યથી પીછે હઠ નહિ કરનારો. અનુદવિગ્ન એટલે દુ:ખથી કરી કર્તવ્યથી ભાગનાશે નહિ. સાધક એટલે ઠંડી યા ગરમી પડે અનુકૂળતા મળે યા પ્રતિકૂળતા મળે માન મળે યા અપમાના મળે પણ એ બધાને ઘોળીને પી જનારો તેથી જ અનુદવિગ્ન સાત્વિકલામાં સિંહથી પણ અધિક પરાક્રમી બની દુ:ખની સાથે લડી લે. સુખની આસક્તિ તેને મૂંઝવે નહિ. તેને ભય ભૂલાવે નહિ.
SR No.011559
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Rajyashvijay, Vachamyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy