SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ જેનું આખું શરીર ગંદુ છે તે એક બિંદુ પાણીથી શુદ્ધ થાય? સ્વચ્છ થાય ? ના . થાય. સ્નાન કરે પણ શરીર લૂછે નહિ તે પાછી માટી લાગે અને ફરી ગ . શરીર લૂછે પણ પછી શરીર પર સુગંધી તેલ ના લગાડે તે સુવાસ ક્યાંથી પ્રગટે ? જેમ મલિનમાંથી સ્વચ્છ થવા માટે પ્રત્યેક પ્રક્રિયા પૂર્ણ રૂપે કરવી જોઈએ તેમ મંગલ બનવા તારે ધર્મનું શરણ લેવું જોઈએ. ધર્મના શરણુ વગર મ ગલ બનાય નહિ. ધર્મમય બને તે જ મંગલની પ્રાપ્તિ ધર્મ જ્યારે સાચા સ્વરૂપે સમજાય ત્યારે તેના ઓજસ જુદા હોય. જેમ મહેમાનના સત્કાર કરવાના. ભજન. વસ્ત્ર, શય્યા, વચન અને દિલથી તેમ ધર્મના આચરણ પણ અંતરના આદર ભાવથી કરવાના. સ્વસ્વરૂપ સમજીને કરવાના ધર્મના વિશિષ્ટ ત્રણ ભેદ ત્રણ ભેદ વગર ઉત્કૃષ્ટ ધર્મની આરાધના થાય નહિ તે ઉત્કૃષ્ટ મંગલની પ્રાપ્તિ થાય નહિ. અહિંસા, સંયમ અને તપ ત્રણ ભેદથી ધર્મની જ્યારે આરાધના થાય ત્યારે ધર્મની પૂર્ણ રૂપથી આરાધના. જેમ ગંગા યમુના અને સરસ્વતીનું જળ એકત્રિત થાય તો જ સંગમહે તીર્થ તેમ અહિંસા, સંયમ, તપનું આરાધન સાથે મળે તે જ ધર્મ ઉત્કૃષ્ઠ મંગળ ઉત્કૃષ્ટ મગલની પ્રાપ્તિ માટે અહિંસાનું પૂર્ણ પાલન જરૂરી કાયિક, વાચિક માનસિક રીતે હિંસાને ત્યાગ કરવાને. હિંસાને ત્યાગ કર્યો પછી કાયાની દુષ્ટવૃત્તિ કે વચનનું દુષ્ટભાષણ કે મનના દુર્વિચાર જરા પણ ન ચાલે. જગતના કોઈ પણ જીવને દુઃખ કરાય જ નહિ. ચાહે તે જીવ પિતાનું સંરક્ષણ સમજે કે નહિ પણ તે સર્વ જીવન સંરક્ષણના વ્રત લીધા છે. તારાથી કોઈને માનસિક કલેશ પહોંચે તેવું
SR No.011559
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Rajyashvijay, Vachamyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy