SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫ ગુરુકૃપા દ્વારા પરાઘાત નામકર્મપેદા થાય છે..અને તે શાસનપ્રભાવનમાંથી સહાયક બને છે. ગુરુકૃપા દ્વારા આત્મગપક બનાય છે અને... આત્મોન્નતિની ઝંખના જાગે છે. ગુરુકૃપા દ્વારા સાધનામાં સફળ થવાય છે અને સિદ્ધિ મળે છે. ગુરુકૃપાની ચાહના પ્રશસ્ત ચારિત્ર મોહનીય કર્મના પશમની સહાયથી થાય છે. ગુરુકૃપાની પ્રાપ્તિ થતાં પ્રશસ્ત ચારિત્ર મેહનીય કર્મના પશમ સાથે સૌભાગ્યનામકર્મનો ઉદય પ્રાપ્ત થાય છે. ગુરુકૃપાની પ્રાપ્તિમાં આત્મિકયોગ્યતા સાથે પુણ્યનો પણ સાથ જોઈએ જ્યારે ગુરુકૃપાની તત્પરતામાં આત્મિક યોગ્યતાની જરૂર છે. સાધક તે પુરૂષાથી છે. પુરૂષાર્થથી હારે પણ નહિ..થાક પણ નહિ. આ દુનિયામાં કોઈ વિદ્યા કોઈ મંત્ર કોઈ સિદ્ધિ એવી નથી કે જે ગુરુકૃપા દ્વારા ના મળે... આધ્યાત્મિક દુનિયાનું ગણિત અલગ છે. ત્યાં તે ગુરુકૃપાની ઝંખના ન જાગી ત્યાં સુધી માયાવી...કપટી.. આધ્યાત્મિક દુનિયાનો એકડો ગુરુકૃપાથી જ પ્રારંભ થાય. ગુરુકૃપાની ઝંખના એટલે... વીતરાગને સમર્પિત, શાસનકાજે સર્વસ્વ સમપી ચૂકેલ શાંત-મહાશાંત... દીર્ઘ સંયમી મહાજ્ઞાની... આધ્યાત્મિક મહાસાધક મહાત્માના ચરણે વિનંતિ... આપ સમસ્ત વિશ્વના તન મનના તાપ હરે તેવા કલ્પવૃક્ષ છે અમે કલ્પવૃક્ષના બની શકીએ..પણ કલ્પવૃક્ષની છાયાના પિપાસુ મુસાફર બની શકીએ. આપ કલ્પવૃક્ષ છે તેથી આપની છાયામાં જે સંકલ્પ કરીશું તે સિદ્ધ થશે. સફળ થશે અમે પણ મેક્ષના અભિલાગી છીએ. આપ તેના આમ્નાય વિદ્દ છો. સફળ મંત્રવિદ્રના સાંનિધ્યમાં સાધના વગર મંત્ર સફળ થાય તેમ આપના સાંનિધ્યમાં સહજ અનાયાસે મોક્ષ પ્રાપ્ત થાય...
SR No.011559
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Rajyashvijay, Vachamyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy