SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ આ બધા સંકલ્પ વિકલ્પો અહપ્રેમીના છે. પોતાની જાતને કંઇક સમજનારાના છે. ગુરૂ ગૌતમ એક સાચા શિષ્ય હતા. ખુદના વિસ્મરણ એ શિષ્યના લક્ષણથી શોભતા હતા. ગુરૂગૌતમસ્વામીને આત્મા તે આજ્ઞાપાલનથી હસતો જ હોય...પ્રલના વિયોગે રડયો તે ગુરૂગૌતમને મોહ...પણ આજ્ઞાપાલનના પ્રેમે ગુરૂ ગૌતમના મોહને નહટાવ્યો. ગુરૂ ગૌતમ આજ્ઞાપાલન ખાતર બાહ્ય સાંનિધ્યને ગૌણ સમજે. અલ્યા કપટી તારે હજી અહં પોષવો છે. તું કહે “હું ગુરૂની છાયા હતો” બોલ ગુરનું બાહ્ય સાંનિધ્ય ઉપાસના યોગ્ય કે ગુરૂની આજ્ઞા? મેળવ જવાબ તારા અંતરમાંથી. ધન્યતમ શિષ્યો જ નજરીક યા દૂર રહી ગુરૂ આજ્ઞાની આરાધના કરી શકે છે. આપણે દેહના ઉપાસક નથી. પણ દેહમાં રહેલાં પાવન ગુરૂ આત્માના ઉપાસક છીએ. ગુરૂની આજ્ઞા શિરસાવંઘ કરવામાં ગુરૂનું સતત સાનિધ્ય છે. સાથે રહેવામાં હોય પણ ખરું અને ન પણ હાય – આજ્ઞાપાલનમાં અવશ્ય ગુરૂનું સાંનિધ્ય હોય. મનક ! શિષ્ય બનવા એકલી સેવા પૂરતી નથી. સેવા તો શિષ્યજીવનનું પ્રથમ પગથિયું છે. સાચી સાધના તો ગુરૂના વચનને સફળ કરવામાં છે. ગુરૂનું વચન કયારે પણ અન્યથા હોય નહિ – મારે પાપનો ઉદય હાય –મારા દુષ્કર્મો હોય – પણ ગુરૂનું વચન એટલે પુણ્યશાળીનું વચન – આદેયનામ કર્મયુક્ત મહાત્માનું વચન, પાતાળમાં પાણી હોય. બની શકે કે મેં ખેદયું ત્યાં ન હોય. મારે ભૂસ્તરશાસ્ત્રીના વચન અનુસાર સુયોગ્ય સ્થળે ખેદવું જોઈએ. જુદી જુદી જગ્યાએ નહિ એક જગ્યાએ ખોદવું જોઈએ. પણ પાતાળમાં પાણી ન હોય તે ત્રણે કાળમાં ના બને. તેમ ગુરૂનું વચન સદા સત્ય હેય – મંગલ હોય. હિતકારક
SR No.011559
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Rajyashvijay, Vachamyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy