SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ રપ. અહં વયણે કુજા કરી - ઈતિહાસ કહે છે કે, પિતાના એક વચન પાલન ખાનર રામ-- ચંન્દ્ર વનમાં ગયા – પતિની છાયા બનવા સીતાએ વનમી વસમી વાટ સ્વીકારી – ભાઇની સેવા કાજે લક્ષ્મણે પર્ણકુટીમાં અયોધ્યા માની. '' વર્ષો વીત્યા – યુગો વીત્યા. દુનિયા ઉપર નથી કોઈ રામના પુત્ર કે નથી કોઈ લક્ષ્મણના વંશજોનથી સીતામાતા સીતાના પિય-રીયા..પણ ઘરઘરમાં – ગામગામમાં નગરનગરમાં અને દેશપરદેશમાં ખુદની આત્માકથાથી એ અદકા પ્રેમથી રામની કથા સૌ વાંચે છે. પ્રેરણા લે છે. ઈતિહાસ સાક્ષી પૂરે છે કે સત્યવચન પાલન ખાતર હરિશ્ચંદ્ર મશાનને રાજમહેલ માન્યો છે. . ખુદના ખુદની સ્નેહી વ્યકિત સ્વજનોના વચન ખાતર ઝઝૂમે એ સંસારીની રીત છે. સ્નેહીની રીત છે સજજનની કરણી છે... ત્યારે સાધુતાની પદ્ધતિ અલગ...સાધુને પિતાનું કંઇ પણ નહિ. આગ્રહ નહિ, નિયમ નહિ, સાધુ એ તે અગમભૂમિના માનવ સાધુની. જીવન પદ્ધતિ પણ અગમનિગમની સાધુ કહે પોતાનું વચન પૂર્ણ કરવું તે માનસશા. સાધુ કહે સ્નેહીનું વચન પૂર્ણ કરવું તે લોકસંજ્ઞા સાધુ કહે જિનનું વચન–ગુવચન પૂર્ણ કરવું તે સાચી ધર્મ સંજ્ઞા.. ગુરૂદેવ. પૂ. શય્યભવસૂરિ મહારાજ બાલમુનિ મનકનો વાસો. પંપાળે છે અને હિતભરી વાત કરે છે. બેટા મનક! મારો અને તારે. ઇતિહાસ આજનો નથી. ગઈકાલને નથી અનાદિન છે.
SR No.011559
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Rajyashvijay, Vachamyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy