SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ર૩. આસુરતં ન ગચ્છજા તિ સિંહ અને શ્વાનવૃત્તિ આપણે સૌ સમજીએ છીએ. સિંહવૃત્તિની પ્રશંસા કરીએ છીએ. શ્વાનવૃત્તિની નિંદા કરીએ છીએ પણ કેણ જાણે માનવ નહિ સાધુ. ભિક્ષુ નહિ. જિનેશ્વર ભગવંતની નિગ્રંથ પરંપરાને પ્રાપ્ત કર્યા બાદ પણ કયારેક સ્વાંગ સાધુનો પણ વૃત્તિ શ્વાનની બની જાય છે. તત્વની વ્યાખ્યા અને વિચારણા શુદ્ધશ્રદ્ધા. દર્શનમોહનીય, જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી થાય છે. પણ ક્રોધાદિ આંતરશત્રુઓ ઉપર વિજ્ય તો ચારિત્ર મેહનીય કર્મના ક્ષયોપશમથી પેદા થાય છે. સત્તાના જોરે અધિકારીના રૂઆબે ધરાને ધાવવી એ કંઈ મોટી વાન નથી. એ એક પુણ્યનો ખેલ છે. આત્માની અદ્વિતીય સાધના તો કોઈને મારવા ઉઠાવેલો હાથ પોતાના ગાલ ઉપર ચલાવવમાં છે. આવું સાહસ તે કોઈ સામાન્ય વ્યકિત ના કરી શકે. જેની પરેપરામાં ભાગ હોય, જેનું લોહી વનરાગીના વારસ સમું હોય તે જ આવું કાર્ય કરી શકે. * : ધન્ય હતા પ્રભુ ઋષભદેવના પુત્ર બાહુબલીજી ભરત મહારાજા સત્તાના લેભમાં અન્યાય પંથ જઈ રહ્યાં છે. એક બે ત્રણ ચાર વાર હાર્યા પછી ગોત્રદ્રોહને પણ ભૂલીને ચકરત્ન છોડે છે. ચરિત્ન પણ બાહુબલિની પરિકમ્મા કરે છે. બાહુબલીની વજશી મુઠી બંધાઈ છે. મુઠ્ઠી બંધાઈ નહિ. હવામાં વીંઝાઇ છે. ભરત મહારાજાના મસ્તક પર ઝીંકાવાની ઘડી ડોકાઇ રહી છે. ત્યાં તીર્થકરના પુત્ર બાહુબલી સાવદ્ય બની ગયા. હું કોણ? કોનો પુત્ર? ક્ષભદેવને પુત્ર હું
SR No.011559
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Rajyashvijay, Vachamyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy