________________
સમાપ્તિ વચન અજ્ઞાનીઓના અજ્ઞાનધકારને ભેદવામાં ઝળહળ સૂર્ય જેવા સંયમ અને બ્રહ્મચર્યની સાધના વડે ચમક્તા શુકના તારા જેવા, ઉપદેશામૃત વડે જીવાત્માઓના કષાયને શાંત કરવામાં ચન્દ્ર જેવા, જર્મન, ફ્રાંસ, ઈટાલી, અમેરિકા, યુરોપ આદિ દેશના વિદ્વાનોને જૈન ધર્મને પરિચય કરાવવામાં બ્રહ્મા જેવા.
સ્યાદ્વાદ–નયાદિ તત્વ દ્વારા ભારતીય વિદ્વાનોની ધાર્મિક રક્ષા કરવામાં વિષ્ણુ જેવા, અને અજ્ઞાન-મિથ્યાભ્રમ તથા રૂડીવાદને દફનાવવામાં શંકર જેવા શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ, દેવાધિદેવ, ભગવાન મહાવીરસ્વામીની ૭૪ મી પાટપરંપરાને દેદીપ્યમાન કરી જગતમાં અમર થયા છે. તેમના ઘણા શિષ્યમાં, શાસનદીપક, વ. મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ પિતાની સાહિત્ય રચના, વક્તૃત્વકળા આદિ સદ્ગુણથી જૈન જૈનેતરમાં પ્રસિદ્ધિને પ્રાપ્ત થયેલા હતાં. તેમના શિષ્ય ન્યાય વ્યાકરણ કાવ્ય તીર્થ પંન્યાસ શ્રી પૂનવિજયજીએ (કુમારશ્રમણે પિતાના
તજ્ઞાનના અભ્યાસ માટે, મતિજ્ઞાનના વિકાસ માટે અને સ્વાધ્યાયની વૃદ્ધિ માટે ભગવતી સૂત્ર જેવા આગમ ગ્રન્થ ઉપર યથામતિ વિવેચના કરી છે.
शुभ भूयात् सर्वेषां जीवानाम् ।। , सर्वे जीवा अहिंसा त-त्व प्राप्नुयुः ।।
શતક ર૦ મું પૂર્ણ * સં. ૨૦૩પ, અક્ષય તૃતીયા, મુંબઈ સાંતાક્રુજ (વેસ્ટ)ના ઉપાશ્રયે આ પ્રસ્તુત પુસ્તક સંપન્ન થયું. ' ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભાગ ત્રીજો
- અ માત,