SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૩ મું - ઉદ્દેશક-૨ ૧૭૫ લઈ અનાકારે પયુક્ત સુધી જઘન્યથી એક, બે, ત્રણ, અને ઉત્કૃષ્ટથી સ ખ્યાત તથા અસંખ્યાત સમજવા. માત્ર નપુંસક વેદના માલિકોને ઉત્પાદ દેવકમાં નથી.” કેમકે દેવભૂમિ પુણ્ય અને ભેગભૂમિ હોવાથી અહીં પુરુષવેદ ને સ્ત્રીવેદના સ્વામીએ જ જન્મે છે. ઉદ્વર્તન માટે સમજવાનું કે અસંજ્ઞી જ પણ દેવલોકમાંથી ઉદ્વર્તિત થાય છે. કારણ આપતા ભગવ તે ફરમાવ્યું કે “અસુરકુમારથી લઈને બધાએ ભવનપતિ વ્યંતરે, જ્યોતિષીઓ અને પહેલા તથા બીજા દેવકના દેવા વિષયવાસનામા અત્યન્ત લંપટ બન્યા હોય તેઓ ભેગકર્મમાં તત્કાલીન પુણ્ય કર્મોનું દેવાળું કાઢી નાંખ્યું હોવાથી ત્યાથી વીને અસરી પૃથ્વીકાયિકાદિમાં ઉત્પન્ન થાય છે, જ્યાથી કેટલીયે તીર્થકર પરમાત્માઓની વીશીઓ પૂર્ણ થવા છતાં પણ બહાર નીકળી શક્તા નથી. તીર્થકર પરમાત્માઓ પણ દેવાનિનો ત્યાગ કરી મનુષ્યાવતાર પામીને તીર્થકર થાય છે પરંતુ તેઓ અસુરકુમાર જેવા નિકૃષ્ટ દેવયોનિમાથી ઉદ્વર્તિત થતા નથી. માટે અવધિજ્ઞાની અને અવધિદર્શની છે જે પ્રાય કરી તીર્થકર હોય છે તેમની ઉર્તના નિષેધ કરાયેલી છે. અસરમાર દેવલોકમાં સ્ત્રીવેદક અને પુરૂષદક જીવે સંખ્યાત કહ્યા છે. દેવલેકમાં લોભકષાયી જ હોય છે પરંતુ ક્રોધ માન અને માયા કષાયવાળા જી ક્યારેક હોય છે અને કયારેક નથી હોતા. જે હોય તે જઘન્યથી એક-બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત હોય છે. કૃષ્ણ, નીલ, કાપત અને તે જેતેશ્યા આ ચાર લેહ્યાઓની સંભાવના છે.
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy