SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૯ પ્રસંગ બન્યા હશે કે જેની ધ મળતી નથી. અને જેને આપણે જાણતા નથી. આપણે જાણીએ છીએ કે વીસમી સદીમાં પણ આવા આવા તીર્થ રક્ષાના પ્રસંગ બન્યાં છે. પૂ. આ. આનંદસાગરસૂરિ (સાગરાનંદસૂરિ) એ અંતરિક્ષ પંચાસરા પાર્શ્વનાથ તીર્થને જેતરોના હુમલામાંથી બચાવ્યું. કેશરીયાજી તીર્થની પણ રક્ષા કરી. આ. વિ. નેમિસૂરિએ સંભવતઃ કાપરડાતીર્થને વિધર્મીઓના હાથમાંથી બચાવ્યું. શાંતમૂતિ શી કપૂરવિજ્યજીએ આગ્રાના ચિતામણું પાર્શ્વનાથના મંદિરને એવી જ આફતમાંથી ઉગારી લીધું. શ્રી યશોવિજયજી જૈન ગુરૂકુલ (પાલિતાણા) ના સંસ્થાપક પૂ. ગુરુદેવ શ્રી ચારિત્ર વિજયજી મહારાજે વિ. સં. ૧૯૯૧ ચૈત્ર સુ. ૮ ગુરુ (તા. ૧૩–૪–૧૯૦૫) ને રોજ શત્રુંજય તીર્થને બારોટની જોહુકમીમાંથી નિર્ભય બનાવ્યું. અને શ્રી શાંતિવિજયજીએ કુલપાકતીર્થને દિગમ્બરોની જાળમાંથી બચાવ્યું વિગેરે. એટલે કે શ્વેતામ્બર જૈનોએ તીર્થ રક્ષા માટે ખૂબ સાવચેતી રાખી છે. પિતાને મળેલ વારસો સાચવી રાખે છે. દિગમ્બર જૈન સંઘને જૈન ધર્મની કઈ વારસાગત વસ્તુ મળી નથી. તેને જિનાગમને વાર મળે નથીએટલે તેણે કંઈક તામ્બર આચાર્યોનું સાહિત્ય અપનાવ્યું. કંઈક અસલી જિનાગમના આધારે રચ્યું. અને કંઈક પિતાના મતની તરફેણમાં વધારો કર્યો. એમ તેણે સ્વતંત્ર જૈન સાહિત્ય બનાવ્યું. (સદર ઈતિહાસ પ્રક-૧૪ પૃ. ૩૧૬ થી ૩૧૮) અસલી જૈનતીર્થોને વારસો પણ દિગમ્બર સંઘને મળ્યો જ નથી. એટલે તેણે શ્વેતામ્બર તીર્થોની ઉપાસના અભિન્ન વિધિ વિધાનથી ચાલુ રાખી છે. આ. બપ્પભટ્ટસૂરિએ તારવી આપેલ તીર્થોને અપનાવ્યાં. શ્વેતામ્બર દિગમ્બર જૈન પ્રતિમાઓને ભેદ સ્પષ્ટ કરી કલ્યાણક ભૂમિઓ તથા શત્રુંજય અને ગિરનાર વિગેરે સર્વ તીર્થોને શ્વેતામ્બર જૈનતીર્થો નક્કી કર્યા. તથા આ. દેવેન્દ્રસૂરિએ પણ દેવીએ કન્યાના સુખથી બોલાવેલ ઉજિંજત”ગાથાનું વિવરણ કરી ઉક્ત ઘટનાનું સમર્થન કર્યું. (જૂઓ પ્રવચન પરીક્ષા વિશ્રામ ૨ ગાથા ૧૩ થી ૭૦ ) તથા જી. કે. રતલામ પ્રકાશિત શ્રાદ્ધદિન કૃત્ય વિવરણ અષ્ટાપદ અધિકાર ૧૦, ૧૧,પૃ ૭૩) અને એ સિવાય તીર્થભૂમિમાં તથા વિશેષે કરીને દક્ષિણ ભારતમાં સ્વતંત્ર દિગ. અર નાર્થે સ્થાપ્યાં. (સદર ઈતિહાસ પૃ. ૩૨૫, ૨૬) દિગમ્બર મંદિરોમાં તીર્થકરોની દિગમ્બર પદ્માસન વાળી હતી કે બેડી પ્રતિમાઓ, ચરણે અને ચરણચિન્હ સ્થાપિત હોય છે.
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy