SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રની મંદિરાવલી જેનોના સાડી પચીસ આર્યદેશમાં દક્ષિણના પ્રદેશનું નામ મળતું નથી એથી જણાય છે કે, ભગવાન મહાવીરના સમયથી લઈને સમ્રાટ સંપ્રતિ(ઈ. સ. પૂ. ૨૮૯)ના સમય સુધી આ પ્રદેશ જૈન સાધુઓના વિહારને એગ્ય નહોતે. સંપ્રતિએ દક્ષિણાપથી જીતી લઈ આંધ્ર, દ્રવિડ આદિ પ્રદેશોમાં સાધુઓને વિહાર સુખપૂર્વક થાય એ માટે સિનિકેને મોકલી તે તે સ્થાને ને વિહારોગ્ય બનાવ્યાં હતાં. એ જ હેતુથી તેણે ઠેર ઠેર જૈન મંદિરે પણ બંધાવ્યાં હતાં. એ પછી જ ઉત્તર તેમજ પૂર્વ ભારતની માફક દક્ષિણ ભારત પણ જૈનધર્મનું કેદ્ર બની ગયું. ઉત્તર ભારતમાંથી જેને પશ્ચિમ તરફ આવી વસ્યા તેમ તેમને કેટલેક ભાગ પૂર્વમાં ઓરિસા થઈને અને કેટલેક સમૂડ માલવા થઈને દક્ષિણમાં જઈ વસ્ય. શરૂઆતમાં પશ્ચિમ ભારતમાં જેનેના શ્વેતાંબર અને દિગંબર એમ બંને સંપ્રદાયનું અસ્તિત્વ હોય એમ જણાઈ આવે છે. પાછળથી પશ્ચિમ ભારતમાં શ્વેતાંબરની મુખ્યતા રહી છે, એ જ પ્રમાણે દક્ષિણમાં પહેલાં તે બંને સંપ્રદાયે હતા પણ પાછળથી ત્યાં દિગંબરનું જ પ્રાધાન્ય રહ્યું હોય એમ લાગે છે. નિર્વસ્ત્ર દિગંબર મુનિઓને ઉષ્ણપ્રધાન પ્રદેશની હવા પણ ખૂબ અનુકૂળ આવી, તેથી જ તેમણે દક્ષિણમાં પિતાનું કેદ્ર જમાવ્યું. હણિ ભારતમાંથી મળી આવેલી સામગ્રીના આધારે એમ કહી શકાય કે મદ્રાસ, કુર્ગ, હૈદ્રાબાદ, મૈસુર, મહારાષ્ટ્ર આદિ પ્રદેશમાં જૈનધમીએ ઈ. સ. પૂર્વેથી હતા અને તેમણે પિતાના ધર્મને ઉન્નત બનાવવાના ભગીરથ પ્રયાસે. કર્યા હતા. પરિણામે અહીંના કેટલાયે રાજવંશો ઉપર તેમણે પિતાને પ્રભાવ પાથર્યો, જેના કારણે કેટલાયે રાજવીઓએ રેસાનાં પવિત્ર સ્થાને કેટલાંક દાન અને આશ્રય આપ્યાની હકીકત શિલાલેખ અને તામ્રશાસનેમાંથી જણાઈ આવે છે. કેટલાક શિલાલે તામિલના મદુરા અને રામાનદ જિલ્લામાંના જૈન મંદિરના ખંડિયેરેની પાસેથી મળી આવ્યા છે. = શિલાલેખો અશકના સમયની બ્રાહ્મીલિપિમાં છે પણ તે હજી સુધી પૂરેપૂરા ઊકેલી શકાયા નથી. - દક્ષિણના પશ્ચિમથી પૂર્વ કાંઠાના સમસ્ત દ્વીપક૯૫ ઉપર જૈનધર્મને પ્રભાવ ફરી વળ્યો હતો. શિલાલેખો અને અવશેષ ઉપરથી જણાય છે કે, સમગ્ર મહારાષ્ટ્ર, કાનડી અને તેલુગુ પ્રદેશમાં ઠેઠ ઓરિસા સુધી જેનમેં પિતાને પ્રભાવ પાથર્યો હતે. કાનડી ભાષાનું પ્રાચીન સાહિત્ય અધિકાંશે જેનાચાર્યોના જ હાથે ખેડાયેલું મળે છે અને તામિલ ભાષાનું સાહિત્ય રેત વિચારથી ખૂબ પ્રભાવિત થયેલું છે. ‘કુરલ-તિરુકુલ” નામનું તિરુવલુરનું કાવ્ય પહેલા સૈકાને સર્વશ્રેષ્ઠ ગ્રંથ ગણાય છે. એ ગ્રંથ નિર્વિવાદ જૈન વિદ્વાને રચેલે છે. એ પછી “સિલધિકરમ્ ” અને “મણિમેખલઈ’નામના ગ્રંથ છિદ્ર છે. આ પૈકીનું ‘સિલધિકરમ “ જેન છેલ્લકે–આદિગલકત છે અને “મણિમેખલઈ’ કુલનિકન સત્તનર નામના બોઢે રચેલું છે. એ બંને વિદ્વાને મિત્રો હતા. જેના કર્તા રાજવંશી હતે. બોદ્ધ કૃતિ છે કે પહેલી કતિ છે. છતાં તેમાં ઉક્ત જેન કૃતિના નાયક અને નાયિકાનું છેલ્લું પ્રકરણ આવે છે. આ બોદ્ધ કૃતિમાં પણ જેનઅs ચબધી ઉલ્લેખ છે. જેન કૃતિમાં તે નિર્ચે છે અને તેમના મઠના પુષ્કળ ઉલેખ છે. આ ઉપરથી જણાય છે કે તે વખતે દક્ષિણ હિંદમાં જૈનધર્મને વિકાસ ઘણે થઈ ચૂક્યો હતે. - ૧. “ જ શુરવિયો aiઘા ટામા થ બોવિયા”—નિશીથચર્ણિ. 2. Mysore and koorga Gazeteer, Apigraphia Karnatica. ૪૮
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy