SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ નાગદા. ૩૩s - સમુદ્રસૂરિને સત્તાસમય પટ્ટાવલીઓના આધારે પાંચમી શતાબ્દી મનાવે છે. આથી આ તીથે એ પહેલાંનું ગણાય. અહીંના વાઘેલા તળાવ પાસે ડુંગરની તળેટીમાં આવેલા શ્રી પાર્શ્વનાથ ભગવાનના જીર્ણ મંદિરમાં મૂર્તિના -એક પબાસ નીચે સં. ૧૧૨ને લેખ આ પ્રકારે વંચાય છે – “નં૨૩૨૨ વર્ષે ચૈત્ર રૂરિ છ રવ વધાર્શ્વનાથdદલવા વાર્થવૃમાર્યા........... " બીજે લેખ સં. ૧૩૫૬ને ત્યાંથી જ મળી આવ્યું છે તે આ પ્રકારે છે – "सं० १३५६ वर्षे श्रावण वदि १३ णारेसा तेजल लुतसंबपतिपास देव संघसमस्त णेनसाइत श्रीपारसनाथ ॥" ઉપર્યુક્ત શ્રીમુનિસુંદરસૂરિએ જે પાર્શ્વનાથ ભગવાનના મંદિરનો ઉલ્લેખ કર્યો છે તે આ શિલાલેખેવાળું મંદિર હશે એમ જણાય છે. * શ્રીશીવવિજયજી અને શ્રીજિનતિલસૂરિએ તીર્થમાળામાં ધેલા નમિનાથ ભગવાનના મંદિરનો તેમજ શ્રીમતિલકસૂરિએ બનાવેલા એક તેત્રમાં “અહીં પેથડશાહે નેમિનાથ ભગવાનનું મંદિર બંધાવ્યું હતું.” એ ઉલ્લેખ કર્યો છે, તેને પણ આજે પત્તો નથી. આજે તે એક માત્ર શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર વિદ્યમાન છે. મૂળનાયકની પદ્માસનસ્થ ૨યામ પાષાણની સુંદર મૂર્તિ ૯ ફીટ ઊંચી છે. તેની નીચે મોટું પબાસન છે. આસપાસ પરિકર હોવાનું વર્ણન તેની નીચેના સં. ૧૪૯૪ ના લેખમાં છે, પણ આજે એ પરિકર અર્ધી નથી. એ લેખ આ પ્રકારે છે – __ १४९४ वर्षे माय सुदि ११ गुरुवार मेदपाठदेशे देवकुलपाटकपुरयरे नरेश्वरश्रीमोकलपुत्रश्रीकुंभकर्णभूपतिविजयराज्ये श्रीउससे(शे) 'श्रीनवलक्षशापामंडन सा० लक्ष्मीधरसुत सा० लाधू तत्पुत्रसाधु त्रीरामदव तद्भार्या प्रथमा मेलादे द्वितीया माल्हणदे । मेलादेकुक्षिसंभूत -सहणपाल | माल्हणकुक्षिसरोजहंसोपमजिनधर्मकर्पूरवातसद्यधीनुक सा० सारंग। तदंगना हीमादे लखमादेप्रमुखपरिवारसहितेन सा० सारंगेन(1) निजभुजोपर्जितलक्ष्मीसफलीकरगार्थ निरुपममद्भुतंश्री महत् श्रीशांनिजिनवरविबं सपरिकरं कारितं । प्रतिष्ठितं श्रीवर्धमान.स्वाम्यन्वये श्रीमत्खरतरगच्छे श्रीजिनराजसूरिपट्टे श्रीजिनवर्धनसूरत(स्त) पट्टे श्रीजिनचंद्रसूरित(स्त) पट्टपूर्वाचलचूलिकासहश्र(स)करावतारैः -श्रीमजिनसागरसूरिभिः ॥ सदा वंदंते श्रीमद्धर्ममूर्तिउपाध्यायाः । घटितं सूत्रधार मदनपुत्रधरणावीकाभ्यां । आचंद्राकै नंद्यात् ।।श्रीः॥" . આને લાવ એ છે કે, સં. ૧૪૯૪ ને મહા સુદિ ૧૧ને ગુરુવારે દેવકુલપાટક નગરમાં રાણા મોકલના પુત્ર કુંભકના રાજ્યમાં આવાત જાતિના નવલખા શાખામાં થયેલા શ્રેષ્ઠી સારંગે આ મૂર્તિ ભરાવી અને શ્રીજિનસાગર સુરિએ તેની પ્રતિષ્ઠા કરી. આ શિલાલેખથી જણાય છે કે નાગદા નગર તૂટયું ત્યારે આ ગામ દેવકુલપાટકના એક પરા જેવા વિભાગરૂપે ગણાતું હશે. બીજું આ લેખમાં નિપુણ મુત એવું આ મૂર્તિનું વિશેષણ જણાવેલું હોવાથી આ મૂર્તિ આજે પણ અબદજીના નામે ઓળખાય છે. વળી, આ મૂર્તિ પરિકર સાથે બનાવવામાં આવી હતી, આટલી વિશિષ્ટ હકીકત આમાંથી તરી આવે છે. મંદિરના સભામંડપના થાંભલા ઉપર સં. ૧૮૭૯ને લેખ છે. - આ રીતે જોતાં સં. ૧૧ર થી સં. ૧૮૭૯ સુધીના લેખે અહીંથી મળી આવે છે. તેથી અહીં સમયે સમયે જીર્ણોદ્ધારો થતા રહ્યા છે અને જેનેએ વેરાન જંગલમાં પણ આ તીર્થને બચાવી રાખ્યું છે. છેલ્લે ઉદ્ધાર પાટણવાળા શેઠ લલભાઈએ મેવાડનાં બીજું મંદિરની સાથે જ આ તીર્થન પણ કરાવ્યું છે. મંદિરની પાસે જ જમણી બાજુએ બીજું એક નંબર જૈન મંદિર જીર્ણ હાલતમાં પડયું છે. આ મંદિર કેસરિયાજી તીર્થની પદ્ધતિનું વિશાળ જોવાય છે. આજે તેમાં મૂર્તિ વગેરે નથી. ૩. કુંભ રાણાના પિતા મોકલ રાણુના ભાઈ વાઘસિંહના નામે આ તળાવ બંધાયું હોવાથી એ “વાઘેલા તળાવ' કહેવાય છે. ૪. “નાહિ નમી લીલવિલાસ”—લિવિય; “નાગરિ પાસે તું નમી ટિ’– શ્રીજિનતિલકરિ : ૫. “નાગરૃટે નમઃ ” ગુર્નાવલી, લકઃ ૧૯૬, પૃ. ૧૯. . . . .
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy