SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ~ - ~ ~ ~- ~ - ~ ~ -~ ~ ~-~ પી છે એ વિશે તમારૂ કેવું મત છે? ત્યારે પ્રધાને કહેવા લાગ્યા. રાજા હજી તુમે પુત્ર રહીત છે, માટે તેને વ્રત લેવાને અધીકાર નથી. તેમ છતાં જો તુ દીક્ષા લઈશ તે પછી આ પૃથ્વીને વામી કોણ છે? માટે પુત્ર થાય ત્યાં સુધી વિલંબ કરે. એવું માત્રીઓનું બેસવું માન્ય કરીને તેણે કેટલાએક કાળ ગ્રહસ્થાશ્રમ કર્યો. પછી તે સહદેવી રાણીના પેટે સુકોશલઈનામને પુત્ર પેદા થશે. પણ સહદેવી રાણીએ પોતાના પતિના દીક્ષા લેવાના ભયથી પો. તાને પુત્ર થવાની વાત છાની રાખી ને મને પુત્રી થઈ એમ કહ્યું. તોપણ તે વાતની રાજાને ખબર પડી. સુર્ય ઉગ પછી તેને ઢાંકવાને કોણ સમર્થ થઈ શકે? પછી તે રાજા સ્વાર્થમાં તત્પર થઈને તથા પોતાના પુત્રને રાજ્ય - ઉપર બેસાડીને એક વિજયસેનક નામના આચાર્ય પાસે દીક્ષા લીધી. પછી મહાઊગ્રત તપ કરીને ગુરૂની આજ્ઞાથી વિહાર કરવા લાગ્યો. એવી રીતે ફરતાં ફરતાં કોઈ એક સમયે અયોધ્યા નગરીમાં આવ્યો. માસ ઉપવાસનાં પારણાં કરવા સારૂ મધ્યાન બે પ્રહરના વખતે ગામમાં ગછે. રસ્તામાં જતાં મહેલમાં બેઠેલી સહદેવી સ્ત્રીએ તેને દીઠે. ને તેણે એ લખ્યો કે આ મારો પતિ છે, એણે જ્યારે દીક્ષા લીધી ત્યારે જ હું પતિ વિનાની થઈ. પણ આ મારો પુત્ર સુશલ એના બાપને જોઈને તેની પેઠે દીક્ષા લેશે તો હુ પુત્ર વિનાની થઈશ. તો પછી મારૂ જીવવું શા કામનું ? તે માટે અદ્યપિ આ નિરપરાધી છે, વ્રતધારી છે, તથા પતિ છે; તથાપિ પુત્રના કલ્યાણ સારૂ એને નગરથી બહાર કાંહોડી મુકવો. પછી તે સ્ત્રીએ કોઈ અન્યદર્શનીઓના હાથે તેને ગામથી બહાર કહેડાવી મુકાવ્યો. કહ્યું છે કે, “લોભી માણશને વિવેકે કયાંથી? એ સર્વ વાતની સુકોશલની ધાવ માતાને ખબર પડી. પિતાના વ્રતધારી, તથા નીરપરાધી પતીને એ દુષ્ટ સીએ નગરથી બહાર કાહાડી મુક. એમ જાણીને તે રડવા લાગી. તે જોઈને સુકોશલ રાજા તેને પુછવા લાગ્યો. હે મેતા તુ શા સારૂ રડે છે. ત્યારે તે ઘાવ માતા તેને કહેવા લાગી. હે પુત્ર, તારે પિતા જે કીર્તીધરરાજા તે તારી છે બાલ્યાવસ્થામાં તેને રાજ્ય ઉપર બેસાડીને પોતે દીક્ષા લઈ વિચસ્વા લાગો. ફરતાં ફરતાં કેટલાક દિવસ પછી આજે આ નગરમાં આવ્યો. તેને ઇમ જોઈને તું પણ દિક્ષા લઈશ એવી પોતાના મનમાં શંકા લાવી તાહારી માતાએ તેને એચંદીનીઓ પાસે ગામથી બહાર કહેડાવી મુકો. માસ ઉપ વાસનો પારણે “કરવા સારૂ અને એને એમ કહાણી એ " * ~ - ~
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy