SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ નાના અને - ' . '(૧૯૦) લાવ. એવું લક્ષ્મણનું બોલવું સાંભળીને તે સેનાની તથા બીજા વિદ્યાધરોને આકાશ માર્ગ પેલા મહા ભયકર વનમાં રામ આવ્યો. દરેક ઠેકાણે, દસ્ક - ણીના સ્થાને દરેક પર્વત ઉપર, તથા દરેક ઝાડમાં રામે જાનકીના શોધક , પરંતુ તેને ક્યાંઈ પત્તા મળ્યો નહીં. ત્યારે મનમાં વિચાર કરવા લાગ્યો કે કોઈ વધે, કે કોઈ સિહે અથવા કોઈ જનાવરે સીતાને ભક્ષણ કરી- એમ જાણીને અત્યંત દુખી થયો થકો સીતાના મળવાની આશા મુકીને પાછા ફ રી રામ પિતાના નગરમાં આવ્યા. ત્યાં ગામના લોકોએ સીતાના ગુણ ગ્ર હણ કરીને વારંવાર રામની પુજા કીધી. પછી રામે સીતાનાં મૃતકાર્ય કયાં અને જ્યાં ત્યાં સીતામય જોવા લાગ્યો, સીતા વિના સર્પ શુન્ય દેખાવા લાગ્યું રામના હૃદયમાં, નજરની સામે તથા વાણમાં સર્વ કાળ સીતાજ આવવા લાગી, તથાપિ તેને કયારે પણ સીતાની ખબર મળી નહીં. અહીં વજરજંઘ રાજને ઘેર જાનકીને એન ગલવણ અને મદનાંકુશ નામના જોડલા બે પુત્રે થયા. વજરજ છે તેને જમનામ મહોત્સવ કયા, તેથી પોતાના પુત્રના લાભ કરતાં રાજાને વધારે આનંદ થયો. ધાઇઓના હાથથી લાલન પાલન થઈને તે બેઉં અશ્વિની કુમારની પેઠે કેમે કરી મોટા થયા. તે મહાભુજ હાથીને બાળકની પેઠે શિક્ષા કરવા લાયક તથા રાજાના નેત્રને આનંદદાયક બેઉ કળાઓ શીખવાને યોગ્ય થયા. એવા સમયે કોઈ એક અણવ્રત ધારણ કરનારે, વિદ્યા, બળ, તથા રિદ્ધિએ કરી સંપન્ન અને કળામાં કુશળ, આકાશમાં ફરનારો એક સિદ્ધાર્થ નામને મુનિ મેરૂ પર્વતની ઉપર ત્રિકાળ ચિત્યોની યાત્રાઓ કત કરતો ભિક્ષાને અર્થે જાનકીના ઘેર 'આવ્યું ત્યારે સીતાએ અન પાનાદિકે કરી તેને ભોજન કરાવ્યું. પછી તે મુનિને સીતાએ રસ્તાના વિહારની ખબર પડી ત્યારે તેણે કહ્યું કે સુખે કરી વિહાર થયુ મુનિએ પણ પુત્રના જન્મ સુધી સીતાને વૃતાંત પુછયો. ત્યારે તેણે મુળથી થયેલી સર્વ વાત તે મુનિને કહી સંભળાવી. તે સાંભળીને અને છગનિમિતજ્ઞ, સિદ્ધાર્થ અને કરૂણાનિધિ એવો તે મુનિ તેને કહેવા લાગ્યો કે હે સીતા તુ વ્યર્થ ખેદ શા સારૂ કરે છે. જેના આ લવણ અને અકુશ એ 'બે પુત્ર છે, તે બેઉં નિર્દેશ લક્ષાણુવાળા સાક્ષાત રામ અને લક્ષ્મણૂ જેવાજ છે એ તારા મનોરથ થોડા જ દિવસમાં પૂર્ણ કરશે. એવી રીતે તેણે સીતાનું આવાસન કરવું, ત્યારે સીતાએ તેની પ્રાર્થના કરીને તાના બે પુત્રને અધ્યાપન (શીખવવા) સારૂ તેના પિતાના - - - - - - - - - - - ~ - - ~ ~ - ~
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy