SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ અથ શ્રી આઠમો ખંડ પ્રારંભતે , મry * * - * પિતાનો સ્વામી રાવણ મરણ પામ્યો. તે જોઈને રાવણનુ સેવે ભયભીત થઈ ગભરાવવા લાગ્યું તેવારે તેની પાસે જઈને બિભીષણ સમજાવવા લાગ્યો કે, આ રામ લક્ષ્મણ આઠમા બળદેવ વાસુદેવ છે, તમે એથની શરણે જાઓ એવું સાંભળીને સર્વ રાક્ષસે રામ લક્ષ્મણની શરણે ગયા. તેમની ઉપર રામ લક્ષ્મણે કૃપા કરી કહ્યું છે કે, “ધીર પુરૂષોની પ્રજા ઉપર સમદ્રષ્ટિ હોય છે.” પછી બિભીષણે ભાઈ મુવો એમ જાણીને શોકના આવેશથી મરવા સારૂ એક છુરી હાથમાં લીધી. ને તે પેટમાં ખસવાને વિચાર કરે છે, એટલામાં રામે તેને પકડી લીધા પછી બિભીષણ મંદોદરી સહિત રાવણની પાસે જઈને હા, ભાઈ, હા, ભાઈ! એવી રીતે કરૂણા સ્વરે કરી રડનારો જે બિભીષણ, તેને લક્ષ્મણે તથા રામે આગળ થવાના પ્રકારનો બોધ કરયો શગ્રામમાં જેની આ ગળ દેવ પણ ભયને પામ્યા. એવા પરાક્રમી રાવણને શેક કરવો યોગ નથી આ શુરવીરપણાએ મુવો તેથી જગતમાં એની કીત થઈ છે. માટે હવે એ ની ખેતકીયા કરો રડવાથી શું થવાનું છે. એમ કહીને નાગપાશાદિકે બધા યલા જે કુ ભકરણદિક વીરો, તેમને મુકીને રામે સારી રીતે સમજાવ્યા પછી બિભી વણ, કુંભકરણ, ઈદ્રજીત, મેઘવાન, તથા મદદર આદિક બીજા રાક્ષસો ગોરોચન, કપુર, અગરૂ, ઇત્યાદિકે કરીને રાવણનાં અગસ સ્કાર કરો. રામે પદમ સરોવર ઉપર આવીને સ્નાન કરયુ. તેમજ કુ ભકરણાદિ કોએ પણ સ્નાન કરીને પછી લક્ષમણની સાથે રામ, કુભકરણાદિકને કહેવા લાગ્યું કે, પ્રથમની પઠે હવે પણ તમે પોત પોતાના રાજ કરો. તમારી રાજ લક્ષમી અમારે લેવી નથી તમારૂ કલ્યાણ થાઓ. એવુ રામ બોલ્યા પછી એક વખતેજ શોક અને આશ્ચર્ય કરીને કુંભકરણાદિક બોલવા લાગ્યા હેમહાભુજ, આ મોટા રાજથી અમને કાંઈ પ્રયોજન નથી. અમે તો મોક્ષ આપ નારી દિક્ષા મા લઈએ છીએ, હમણાં કુસુમાયુધોઘાનમાં અપ્રમેયખલ ના મના ચતુરજ્ઞાની એક મુનિ આવ્યા છે, ત્યાં જ તે રાત્રે તેમને કેવલજ્ઞાન ઉત્પ [ ન થયુ છે. તે વખતે દેવોએ કેવળજ્ઞાન મહોત્સવ કરો. એવું સાંભળીને સ * * *--** - * - - - - - -
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy