SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ New ળીની પકે એ પગથી કે માથા સુધા તાપેલી જણાય છે. શીયાળાના દહાડા માં ટાહાડ વાયાથી જેમ રેમ ઉભાં થાય, તેમ એ સીના કોમલ શરીર ઉપર અતિ બારીક કેશ સીધા થયા છે. કફ વડે જેમ ગળુ ભરાઇ જાય. તેવી એના કઠની વ્યવસ્થા થઈ છે. ભય પામ્યાથી જેમ આગ થરથરે તેમ એ કમલનયનીનું શરીર કપે છે. રોગીના શરીરની પેઠે એને પીળે વર્ણ થઈ ગયો છે. શોકાતુરના નેત્રામાં જેમ પાણી ભરાઈ આવે, તેમ તેની આંછે આંસુથી ભરાયેલી દેખાય છે. અને જેમ યોગી પુરૂષના મનની વૃતી એકાગ્રપણે ધ્યેય પદાર્થમાં લાગી રહે, તેવી જ એના અતઃકરણની વૃતિની સ્થિ તી થઈ છે. એવી દશાનું કારણ પુછશો તે હે રાજા, ઉપર કહ્યા પ્રમાણે પ્ર ફુલિત કમલ જેવા તારા મુખનું દરશન કરતાં વિતજ એની નાના પ્રકારની વિચીત્ર અવસ્થા થઈ ગઈ છે. તે વાસ્તે હવે એ કન્યા જ્યાં સુધી જીવે તાત્કાલ તું એનું રક્ષણ કર. - એ રીતે તે સખી સગર રાજાની સાથે બેસે છે, એટલામાં આકાશ માર્ગથી સહસનયન આવીને તે ચક્રવરતીને નમસ્કાર કરી, તથા તેનું યથા યોગ્ય આદર સત્કાર કરીને, તેને પોતાના સ્થાનક ઉપર તેડી ગયો. પછી ત્યાં સુકેશારૂપ સા રત્ન આપીને તેને [પરણાવીને પ્રસન્ન કર્યો. ત્યાંથી તે બેઉ વિમાન ઉપર બેસીને વિતાઠ્ય પર્વત ઉપર ગગનવેલભ નામના નગરમાં આવ્યા. ત્યાં તે ઇંદ્ર જેવા પ્રાક્રમવાળા ચક્રવર્તી સગર રાજાએ સહસનયનને તેની બાપના રાજ્ય ઉપર બેસાડીને તથા સર્વ વિદયાધરોનો અધીપતી કરીને પિતાની સાથે તે સીરત્ન લઈ અયોધ્યા નગરીમાં ગયો. ત્યાં અતિ આનંદ સહિત કલા, કૌશલ્ય, ગાયન વિનોદાદિક નાટારંભ કરતો છતો તે પિતાની રા જ્ય લક્ષ્મી સહિત સુખરૂપ રહેવા લાગ્યો. કોઈ એક સમયના વેગે, સુરાસુરને પુજા કરવા યોગ્ય એવા શ્રી અજીતનાથ ભગવાન અયોધ્યા નગરીના ઉપવન માં સમસર્યા. ત્યાં ઇંદ્રાદિક દેવતા તથા સગર ચક્રવરત્યાદિક રાજા, વગેરે પઉદામાં આવા શ્રી ભગવાનને વંદનાદિક કરીને યથા યોગ સ્થાનકે બેઠા પછી શ્રી અછત જિનેન્દ્ર દેશના દેવા લાગ્યા. તે વખત એવો બનાવ બન્યો કે વિતાવ્ય પર્વત ઉપર પોતાના બાપના મરણને સ્મરણ કરી ધમાં આવેલા સહસનને ગરૂડ જેમ સર્ષને મારે તે પ્રમાણે તેણે પુર્ણમેઘના પ્રાણનું ઘાણ કાણું તેના ભયથી અતીશય કાંપતા થકો પુર્ણમેઘનો પુત્ર ઘનવાહન ત્યાંથી નાશીને સરણ રહેવાના હેતુથી સમવસરણમાં આવ્યો. ત્યાં શ્રી અજીતનાથ નેદ્રને પ્રદક્ષિણ તથા નમસ્કાર કરો જેમ કે તે અગ્ની ઝોળમાં બળતો હોય see == =
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy