SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ૭૪ ૪ જેને દષ્ટિએ યોગ કલ્પવી. પરમાત્મામાં તે ગુણે વ્યક્તરૂપે છે અને પિતામાં એ ગુણ શક્તિરૂપે છે એમ વિચારી તે ગુણગ્રામમાં લીન થવું એ રૂપાતીત દયેય કહેવાય છે. પિંડ સ્થાદિ પ્રથમના ત્રણ દિયેય કરતાં અહીં સાધારણ રીતે અવલંબન અલ્પ રહે છે એ ખરું છે, પરંતુ નિરાલંબન ધ્યાન કરવાની ઈચ્છાવાળા એમ સ્થળ મૂર્ત કયેયમાંથી માનસિકમાં ન જાય તે પ્રગતિ થતી અટકી પડે. એથી અવલંબન ધીમે ધીમે અ૫ થતાં જાય છે એ ધર્મધ્યાનના ઉત્તરોત્તર ભેદમાં અને વિભેદમાં જોવામાં આવ્યું હશે. આ શક્તિગત ગુણે અને વ્યક્તિગત ગુણેને બરાબર ઓળખવા માટે નય અને પ્રમાણ જ્ઞાનની ખાસ જરૂર રહે છે, કારણ કે તે વગર શક્તિગત ધર્મો અને તેને વ્યક્ત કરવાની રીત, ચેતનનું અતિ વિશુદ્ધ સ્વરૂપ અને પિતામાં તે ગુણનું અસ્તિત્વ સમજવામાં આવે તેમ નથી. આટલા માટે વિવેકપૂર્વક અભ્યાસ કરીને ચેતનજીએ તે સર્વ બાબત બરાબર સમજવાની ખાસ જરૂર છે. આકાશના આકારનું અમૂર્ત, પુદ્ગળ આકારથી રહિત, નિષ્પન્ન રૂપ (જેમાં વધારે કે ફેરફાર થવાના નથી તેવું રૂ૫), શાંત રૂપ, અશ્રુત રૂપ, સ્વઘનકૃત પ્રદેશસ્થિત, લેકાગ્રથિત રૂપ અને અનામય (રોગ રહિત) રૂપ આ રૂપાતીત દયેયને આકૃતિ આપીને ધ્યાવે. આકાશને જેમ આકૃતિ નથી છતાં અમુક ખાલી શીશીમાંથી પવન કાઢી લેતાં જે રહે તેને આકૃતિ આપી શકાય છે તેવી રીતે આ અમૂર્ત પરમાત્મરૂપની આકૃતિ અપેક્ષાએ કલ્પવી. પછી પોતે વિચારે કે-હું પોતે આ સિદ્ધ, સનાતન, શુદ્ધ, સર્વજ્ઞ, સર્વદેશી છું, પરમાત્મા, પરમ તિરૂપ, નિરંજન છું. આવી રીતે ધ્યાન કરતાં પિતે જાણે ધ્યાન, ધ્યાતા અને
SR No.011523
Book TitleJain Drushtie Yoga
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1974
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy