________________
જૈન દૃષ્ટિએ યોગ
સુખને ખ્યાલ આરેહકમ વ્યક્ત રીતે અથવા અવ્યક્ત રીતે સર્વ જીવોની ઈચ્છા સુખ મેળવવાની રહે છે. એના અંતર ભાગમાં સુસ્પષ્ટ રીતે જિંદગીનાં સુખે ઉત્કૃષ્ટ પ્રકારે ભેગવવાની અને પિતાની ભવિષ્યની સ્થિતિ સુધારવાની ઉત્કંઠા દેખાઈ આવે છે. પ્રત્યેક પ્રાણીમાં એટલે દરજે વિકસવારતા થયેલી હોય છે તેના પ્રમાણમાં તેને સુખને ખ્યાલ ફરતે રહે છે. તદન તિર્યંચાવસ્થામાં રહેલા અને આ ખ્યાલ સ્થળ હોય છે, મનુષ્યત્વ પ્રાપ્ત કરેલ પ્રાણીઓમાં પણ સુખનો ખ્યાલ અતરંગ જે હોય છે. કેટલાક પ્રાણીઓ ઇંદ્રિયના ભાગોમાં સર્વસ્વ માની લે છે, કેટલાક ધનપ્રાપ્તિમાં સર્વસવ માની લે છે, કેટલાક કીર્તિ વધારવાના ખ્યાલમાં રહ્યા કરે છે–આવા જીવ બાહ્યરંગી કહી શકાય; તેથી જરા આગળ વધેલા છ વાંચન ને મનમાં આનંદ માની સ્થળ જીવેથી ઊંચી પંક્તિ પર આવે છે, તેઓને માનસિક રંગી કહી શકાય, એથી સહજ આગળ વધેલા પ્રાણીઓ બાહ્ય વસ્તુઓના ત્યાગમાં આનંદ માને છે અને આ લેકનાં દેખાતાં ધન, યૌવન, સંગને