________________
આત્માની વિભાવ દશા
–સીમાન્યા અવધિજ્ઞાન કહેવાય છે. અવધિ શબ્દ સીમા સૂચક છે. અરૂપી પદાર્થોમાં અવધિની પ્રવૃત્તિ હેઈ શકતી નથી. જગતના મૌલિક છ દ્રવ્યમાં એક પુદ્ગલ દ્રવ્ય જ રૂપી છે. એટલે પુદ્ગલ દ્રવ્ય જ અવધિનો વિષય થઈ શકે છે. પુદગલ દ્રવ્ય સિવાય આત્મા આદિ પાંચ દ્રવ્ય અવધિને વિષય થઈ શક્તાં નથી.
* અવધિ જ્ઞાન તે બે રીતે પ્રગટ થાય છે. (૧) ભવ પ્રત્યય અને (૨) ગુણ પ્રત્યય.
અમુક ભવમાં જન્મ લેતાની સાથે જ પ્રગટ થાય એવા જન્મ સિદ્ધ અને જીવન પર્યત રહેવાવાળા અવધિજ્ઞાનને ભવપ્રત્યય અવધિજ્ઞાન કહેવાય છે. અને જન્મ લીધા બાદ વ્રત–નિયમ આદિ ગુણેના પાલનથી પ્રાપ્ત થતું અવધિજ્ઞાન તે ગુણપ્રત્યય અવધિજ્ઞાન કહેવાય છે. ભવ પ્રત્યય અવધિજ્ઞાનના અધિકારી, દેવ અને નારક છે. દેવ અને નારકને ભવ જ એ છે કે ત્યાં પેદા થતાંની સાથે જ અવધિજ્ઞાન થઈ જાય છે. મનુષ્ય અને તિર્યંચના અંગે એ નિયમ નહીં હોવાથી તેઓ તે ગુણપ્રત્યય અવધિજ્ઞાનના જ અધિકારી છે. તીર્થકર ભગવાનને જન્મ લેવા ટાઈમે અવધિજ્ઞાન હોય જ છે. પરંતુ ત્યાં તેની પ્રગટતા નવી નથી. પૂર્વ ભવથી જ સાથે આવેલ હોય છે. અવધિજ્ઞાનની પ્રગટતામાં અવધિજ્ઞાનના આવરણને પશમ જ આવશ્યક છે. પરંતુ દેવ અને નારકને તે ક્ષપશમ ભવજન્ય જ થાય છે. અને મનુષ્ય-તિયાને વ્રત-નિયમ–તપ આદિ ગુણના