________________
પ્રકાશકીય નિવેદન
આ સમગ્ર જગત અનેક વિચિત્રતાથી ભરપૂર છે. પ્રાણિ માત્રને વિવિધ શરીર રચના, વિવિધ ચિતન્યશક્તિ, આધ્યાત્મિક દૃષ્ટિએ વસ્તુ સ્વભાવની સત્યાસત્ય માન્યતામાં વિચારભિન્નતા, પ્રાણિઓમાં વતતી રાગદ્વેષની અનેકવિધ વિચિત્રતા, ઇકિયેની જૂનાધિકતા, સમાન ઈન્દ્રિ
આદિ સગો હોવા છતાં બુદ્ધિમાં વિવિધતા, સંસારિક સુખદુઃખના સંગેની અનુકુળતા તથા પ્રતિકુળતા, આત્મબળની હાનિ વૃદ્ધિ વિગેરે અનેક વિચિત્રતાઓ જોતાં વિચારશીલ માનવીને જરૂર વિચાર ઉદ્દભવે કે આવી બધી વિચિત્રતા શાથી? આ વિચિત્રતા હવામાં મૂળ કઈ વસ્તુ ભાગ ભજવી રહી છે, તે શોધવામાં સમજુ આત્મા જરૂર પ્રયત્નશીલ બને તે સ્વભાવિક છે.
આ બધી બાબતેને સચોટ નિચેડ કાઢવા માટે આ પૃથ્વી પર અનાદિકાળથી મનુષ્ય અનેકવિધ પ્રયત્ન કરતે જ આવ્યો છે. એવા પ્રયત્નના પરિણામે પ્રાપ્ત થતા માર્ગને આધુનિક ભાષામાં વિજ્ઞાન કહેવાય છે. અને તેવા વિજ્ઞાનને આવિષ્કારક તે વૈજ્ઞાનિક કહેવાય છે. પૃથ્વીપટપર એવા વૈજ્ઞાનિક અનેક થઈ ગયા છે. અને તેઓએ અનેક આવિષ્કારે કર્યો છે. પરંતુ વસ્તુને સચોટ નિડતે હજુ સુધી કઈ લાવી શક્યા નથી. વસ્તુના સચોટ નિચેડની પ્રાપ્તિ તે કેવળજ્ઞાન દિવાકર, સર્વ તત્વરહસ્ય ભેદી, વિશ્વોપકર્તા અને જગદુદ્ધર્તા શ્રી શ્રમણ