________________
પ્રકરણ ૨ જું
આત્માની વિભાવ દશા આત્માના અનંત ચતુષ્કાદિ ગુણેની પ્રગટતામાં જેટલા જેટલા અંશે ન્યુનતા તેટલા તેટલા અંશે આત્માની વર્તતી દશાને વિભાવ દશા કહેવાય છે. જગતના પ્રાણિઓને સુખ દુઃખનું જે કંઈપણ કારણ હોય તે વિભાવ દશા છે. સ્વભાવ દશા અને વિભાવ દશાને સમજી નહીં શકનાર પ્રાણિને સુખ–દુઃખ પ્રાપ્તિને, તેના સ્વરૂપને અને તેની પ્રાપ્તિના કારણને વાસ્તવિક ખ્યાલ નહીં હોવાથી સુખ પ્રાપ્તિ માટે પ્રયત્ન હોવા છતાં પણ વધુ ને વધુ દુઃખની ગર્તામાં ધકેલાય છે.
જીવને મુળ ગુણ ઉપગ છે. પરંતુ તે ઉપગ જ્યારે વસ્તુના વિશેષ ધર્મગ્રહણમાં પ્રવૃત હોય છે, ત્યારે તેને “જ્ઞાને પગ” કહેવાય છે. અને વસ્તુના સામાન્ય ધગ્રહણમાં પ્રવૃત્ત હોય છે ત્યારે તેને દર્શને પગ કહેવાય છે. આમાં જ્ઞાન, દર્શન તથા ઉપગ સર્વથા ભિન્ન નથી. તે પણ સર્વત્ર જ્ઞાનનું માહાસ્ય અતિશય હોવાથી જ્ઞાનની મુખ્યતા બતાવવાને માટે, જીવના વિશેષ ઉપયોગ રૂપ જ્ઞાનને સર્વથી મુખ્ય માન્યું છે. વસ્તુમાં વિદ્યમાન વિશેષ ધર્મને જાણવાની આત્મશક્તિ “જ્ઞાન” અને વસ્તુમાં વિમાન સામાન્ય ધર્મને જાણવાની આત્મશકિત “દર્શન”