________________
૪૧૨
જૈનદર્શનનો કર્મવાદ
વસ્તુ સ્થિતિનું કલ્યાણપ્રેરક ચિંતવન અને સમભાવરૂપ પરિણતિ છે.
ક્ષધા–તૃષા–ઠંડીગરમી-માન-અપમાન-ગ-તકલીફ વિગેરે શાન્ત ભાવથી સહન કરવા અને પ્રલોભનની સામે લલચાવું નહિ, બુદ્ધિમતા કે વિદ્વતાને અહંકાર ન કરે
અને બુદ્ધિમન્દતાદિ કારણે ઉદ્વિગ્ન ન થવું એ વિગેરે -શાસ્ત્રમાં કહેલ બાવીસ પ્રકારના પરિષહમાં આત્મધર્મ ન ચૂકવે તે પરિષહજય કહેવાય છે.
ક્ષમામૃદુતા–જુતા – નિર્લોભતા-તપ-સંયમ (૫ મહાવ્રત, ૫ ઈદ્રિય નિગ્રહ, ૪ કષાયને જય, અને મન-વચન-કાયના અશુભ વ્યાપાર રૂપ ત્રણ દંડની નિવૃત્તિ
એમ સત્તર પ્રકારને સંયમ) સત્ય-શૌચ–અપરિગ્રહ (અમમત્વ) અને બ્રહ્મચર્ય એ દશયતિધર્મ છે.
વસ્તુસ્થિતિના કલ્યાણપ્રેરક ચિંતવનને ભાવના કહે. વાય છે. મેહ-મમત્વ ને નબળા પાડી ફેંકી દેવામાં ભાવનાનું બળ જ સારું કામ આપે છે. જેનગ્રંથમાં એ માટે -નીચે મુજબ બાર ભાવનાઓ ઉપદેશવામાં આવી છે.
(૧) અનાસક્તિ ભાવ પેદા કરવા માટે દુન્યવી ચીજોની ક્ષણભંગુરતાના ચિંતવનને “અનિત્ય ભાવના ” કહેવાય છે.
(૨) ભૌતિક અનુકુળતાની પ્રાપ્ત સામગ્રીમાં વર્તતા મિથ્યાભિમાનને રોકવા માટે “અશરણ ભાવના છે.