________________
૨૩૬
જૈન દર્શનનો કર્મવાદ
--
--
-
--
---
---
આવે એ સ્વભાવિક છે. એક તારાનું અમુક વર્ષે તેજ અહીં આવે છે, એક તારે અમુક કરોડ વર્ષે અમુક પ્રમાણમાં આપઘાત કરતે જાય છે, એક પરમાણુ એક રજકણને અમુક કરોડો ભાગ છે, આવી કરોડે અબજો, સંખ્યાત, અસંથાત, તથા અનંતની વાતોવાળા આધુનિક વિજ્ઞાન વિષે પ્રસિદ્ધ થતા લેખ વાંચતાં જેને માનસિક પરિશ્રમ નથી અનુભવાતો, તેમાં આવતી હકિકત જેને વિચિત્ર નથી લાગતી, તે હકિકતની સૂક્ષ્મતા સમજવા માટે વૈજ્ઞાનિકે એ રચેલી અમુક અમુક સંજ્ઞાવાળી શબ્દરચના જેને હંબક નથી લાગતી, તેવા મનુષ્ય આ અધ્યાત્મજ્ઞાન અંગેની આવી સૂક્ષમ હકિકત પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ, ધૃણું કે અવિશ્વાસ કેમ રાખતા હશે?
અરે ! આધુનિક વિજ્ઞાનની ઉપરેક્ત હકિકતનો જેને મગજમાં ખ્યાલ પણ નથી, અને સમજી શકે તેવી શક્તિ પણ નથી, એવા મનુષ્ય પણ વિજ્ઞાનની સર્વ હકિકતને સંપૂર્ણ સત્ય સમજે છે. વળી ભવિષ્યમાં બીજી પણ વિજ્ઞાનસિદ્ધિ કરવાના વૈજ્ઞાનિક પ્રયત્ન પ્રત્યે વિશ્વાસ દષ્ટિએ જુએ છે, આવા મનુષ્ય પણ અનંતજ્ઞાની પુરુષોએ કહેલ અધ્યાત્મ વિષયક હકિકતને સત્યપણે સ્વીકારવામાં સ્વબુદ્ધિગમ્યને જ આગ્રહ સેવે છે, સ્વબુદ્ધિગમ્યથી વિપરીત હકીકતને સ્વીકાર કરવામાં તેઓ લેશમાત્ર તૈયાર નથી, આવા મનુષ્ય કેવળ દયાને જ પાત્ર છે એથી વિશેષ શું કહી શકાય?