________________
૨૪૬
- જૈન દર્શનને કર્મવાદ બધાં શરીરની પ્રાપ્તિનું નિમિત્તકારણ કામણ શરીર જ છે. કાશ્મણ શરીરના સંબંધ વિનાને જીવ કેઈ પણ શરીરની પ્રાપ્તિ કરી શકે જ નહીં. કારણ કે કામણશરીર તે કર્મ સ્વરૂપ છે. અને કર્મજ સર્વ સંસારી આવસ્થાનું નિમિત્ત કારણ છે.
એક સંસારી જીવને એકી સાથે ઓછામાં ઓછાં બે અને વધારેમાં વધારે ચાર શરીર હોઈ શકે છે તે આ પ્રમાણે –
બીજા કોઈ પણ શરીર ન હોય ત્યારે પણ જીવને સંસાર હોય ત્યાં સુધી કાયમ રહેવાવાળાં તૈજસ અને કામણ શરીર તો હોય જ છે. અન્ય શરીર સિવાય માત્ર આ બેજ શરીરના સંબંધવાળી સ્થિતિ તે જીવને અંતરાલ ગતિમાં જ પ્રાપ્ત થાય છે. વધુમાં વધુ ત્રણ શરીરના સ બંધવાળી સ્થિતિમાં તેજસ-કાર્પણ અને દારિક અથવા તેજસ-કાર્પણ અને વૈકિય હોય છે. આ ત્રણ શરીરના સંબંધને પહેલો પ્રકાર મનુષ્ય અને તિયામાં તથા બીજો પ્રકાર દેવ અને નારકમાં જન્મકાળથી પ્રારંભી મરણકાળ પર્યત અવશ્ય હોય છે.
ચાર શરીરના સંબંધવાળી સ્થિતિમાં તેજસ, કાર્મણ તથા ઔદારિક અને વિ,િ અથવા તો તેજસ કાર્પણ દારિક અને આહારક હોય છે. આ શરીર એકી સાથે હેવાને પહેલે પ્રકાર વક્રિય લબ્ધિના પ્રવેગ સમયે કેટલાક મનુષ્ય અને તિર્યચોમાં હોઈ શકે છે. અને બીજો પ્રકાર આહારક લબ્ધિના પ્રવેગ સમયે ચૌદપૂર્વ સાધુ મહાત્માને જ હોઈ શકે છે.