________________
કર
જન દર્શનને કર્મવાદ
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પોતાની બુદ્ધિથી પરીક્ષા કરી ઉપરોક્ત કોટી મુજબ કસીને દેવ-ગુરૂ અને ધર્મને નિર્દોષ તથા સ્વીકાર્ય માન્યા, આત્માને આદર્શરૂપ લાગ્યા, પછી તેમાં ગડબડ કરે તે ન ચાલે. પછી તે તેમાં શ્રદ્ધા જ રાખે.
આ પ્રમાણે દેવ, ગુરૂ અને ધર્મની પરીક્ષા કરવાની પૂર્ણ સ્વતંત્રતા છે. પરંતુ સ્વીકાર કર્યા બાદ માનવાને જ આદેશ છે. આથી પહેલી પરીક્ષા અને પછી શ્રદ્ધા એ સિદ્ધાન્ત જે દર્શનને હોય તે જ દર્શન સંપૂર્ણ સત્ય છે.
* માટે પરીક્ષા પૂર્વક પ્રાપ્ત દેવને આદર્શરૂપે સ્વીકારવાથી જ યથાર્થતત્વની શ્રદ્ધારૂપ સત્ અસતને વિવેક પેદા થાય છે.
સર્વજ્ઞ એવા જિનેશ્વર દેવોની પ્રમાણિક્તામાં તેમણે કહેલા તેની પ્રમાણિક્તા સ્વયંસિદ્ધ છે. એટલે તર્કનુંસારીઓએ યુક્તિ અને અનુભવ ચાલે ત્યાં સુધી તર્ક કરી તત્વની પણ પરીક્ષા કરવાની છૂટ છે, પરંતુ તર્ક કે બુદ્ધિ ન ચાલે ત્યાં તે સર્વજ્ઞ કથિત આજ્ઞા પ્રમાણે જ માનવાનું છે. - ' દરેક જિનેશ્વર ભગવાનના શાસનમાં જે કહેવાનું હોય તે એક સરખું જ કહેવાનું હોય, કાળભેદે આચારની વ્યવસ્થામાં કદાચ ભિન્નતા હોય, પરંતુ તત્ત્વની પ્રરૂપણમાં કદાપી ભિન્નતા ન હોય. જૈનદર્શનાનુયાયીમાં પણ આચારની ભિન્નતા જોવામાં આવે પણ તની માન્યતામાં ભિન્નતા હોઈ શકે જ નહીં. તત્વની માન્યતામાં ભિન્નતા સ્વીકારનાર જિન કહી શકાય જ નહીં. અનંત જિનેશ્વરેએ જે કહ્યું તે