________________
૧૬૨
-
-
-
-
-
જૈન દર્શનને કર્મવાદ સંતે પ્રત્યે એને ભારે અણગમે હોય છે. જેથી મેક્ષના જ સાધક અને માત્ર તેને જ ઉપદેશ દેનારા અને ભૌતિક સામગ્રી પ્રત્યે તુચ્છ નજરે જોનારા સંતને તે સમાગમ કરે જ નહિં. જતર, મંતર કે ચમત્કાર બતાવી કંચન –કામિની-પુત્રાદિ લેગ્ય સામગ્રી બતાવનાર અધ્યાત્મ વિહણ કૃત્રિમ સતે મળી જાય તે તેવાઓને સંસર્ગ હૈસે હસે કરે. આ રીતે અનર્થને અર્થરૂપે એટલે કે તજવા રોગ્યને ગ્રહણ કરવા ગ્ય માની અને સ્વીકાર કરવા ગ્યને છોડવા યોગ્ય માની બેસીતમ ખુવાર થાય છે. જ્યાં સુધી ગાઢ મિથ્યાત્વનો ઉદય વિદ્યમાન હોય ત્યાં સુધી સાચે બધ થાય જ નહિ, ઉલ્ટ થાય. મોક્ષ અંગે અરૂચિ થાય, આત્મા તરફ દષ્ટિ ન થાય, પાપ બાજુ વલણ રહે અને સંસારનાં સુખ જ ગમે. માત્ર ચાલુભવપુરતીજ દષ્ટિ રાખી તેને જ ખીલવવા હરેક પ્રકારે કેશિષ કરે. .
મિથ્યાત્વથી બીજો કોઈ ભારે અનર્થ નથી. આ મિથ્યાત્વ, તે સંસાર રૂપી અટવીમાં હિત માર્ગને દેખાડનાર નહિ હોવાથી અંધત્વ સમાન, નરકાદિનીચ ગતિરૂપ અનેક અનર્થ ઉપજાવવા વડે જાતે ભયંકર અને પરંપરાએ ઉપઘાત કરનાર હોવાથી અત્યંત અશુભને અનુબંધ કરનાર છે.
મિથ્યાત્વ દશા અનેક પ્રકારની છે. જેથી મિથ્યાત્વની વ્યાખ્યા પણ સર્વવ્યાપક હોવી જોઈએ. નહિતર મિથ્યાત્વને બરાબર સમજી શકાય નહિ.