________________
૧૩૦
જૈન દર્શનને કર્મવાદ પિતાના) વીર્યરોગના ક્ષપશમાનુસારે પાંચ શરીરને રોગ્ય પગલા ગ્રહણ કરીને પરિણુમાવીને આત્મા પોતાની સાથે સંબંધિત કરે છે. અને ભાષા શ્વાસોચ્છવાસ તથા મનાવણના પુદ્ગલેને ગ્રહણ કરી તે રૂપે પરિણુમાવી તેને છોડવામાં હેતુભૂત સામર્થ્યને ઉત્પન્ન કરવા માટે તે ઉશ્વાસાદિ પુગલને જ અવલંબે છે. પણછ પર ચઢાવેલું બાણ આગળ ફેંકવાને માટે જેમ પ્રથમ પાછળ ખેંચવું, પડે છે. અને એ પશ્ચાદાકર્ષણરૂપ પ્રયત્નથી જ બાણમાં જે અગ્રગમેનરૂપ શક્તિ પેદા થાય છે, તેવી રીતે જ ઉશ્વાસાદિ વિસર્જનમાં સમજવું. શરીર પુગલનું તે આત્મા વિસજન કરતો નથી, પણ સંબંધિત કરીને રાખે છે. અને ઉશ્વાસાદિમાં તે સંબંધિત કરીને રાખી નહીં મુક્તા વિસર્જન કરે છે.
એટલે શરીર પુદ્ગલમાં ગ્રહણ અને પરિણમન એ એજ ક્રિયા હોય છે અને ઉશ્વાસાદિમાં તે ગ્રહણ–પરિણમન-આલંબન અને વિસર્જન એ ચાર કિયા પ્રવર્તે છે. આ ગ્રહણ–પરિણમન અને આલંબનમાં મુખ્ય પ્રવર્તક તે આત્મવીર્યરૂપ લબ્ધિવીર્ય જ છે. પરંતુ કરણવીર્ય તેનું સાધન છે.
મન-વચન અને કાયાના પુદગલ દ્વારા પ્રવર્તતું જે આત્મવીર્ય તે ચેગ કહેવાય છે. આ મન-વચન અને કાયાનાં પુગલો સહકારિ કારણ હોવાથી કાર્યને આરેપ કરીને તેને પણ શાસ્ત્રમાં એગ તરીકે વ્યવહાર કર્યો છે. •