SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ એ જ અપેક્ષાએ ભગવન્તના જીવની ભોગોમાં રતિ કે રાજ્યપાલન વગેરે અવસ્થાઓ પણ લોકોત્તર હોય છે. તે બધી જ અવસ્થાઓમાં ભગવન્ત લોકોત્તર વૈરાગ્ય દ્વારા કર્મો ક્ષય જ કરતા હોય છે. ભગવન્તના વૈરાગ્ય વિશે શ્રીવીતરાગસ્તવમાં નીચેની વસ્તુઓ બહું જ મહત્ત્વની કહી છે – ૧. ભગવન્તને છેલ્લા જન્મમાં જન્મથી જ સહજ વૈરાગ્ય હોય છે. ૨. ભગવન્ત મેક્ષના ઉપાયેને વિશે સદા કુશળતાપૂર્વક પ્રવૃત્તિ શીલ અને સુખ અને સુખના હેતુઓમાં પણ સદા વૈરાગ્ય વાળા હોય છે. ૩. ભગવન્તનું વિરાગ્ય વિવેકપૂર્ણ હોય છે. ચરમ જન્મને પૂર્વના જન્મમાં જ્યારે ભગવન્ત દેવતાઈ સુખે ભેગવતા હોય છે, ત્યારે અને છેલ્લા જન્મમાં રાજ્યસુખ વગેરે સુખો ભોગવતા હોય છે, ત્યારે પણ સદા વિરક્ત હોય છે. ૫. ભગવન્ત નિત્ય વિરક્ત હોય છે. ૬. ભગવન્ત સુખ-દુઃખ વિશે કે ભવ–મેક્ષ વિશે ઉદાસીન હોય છે. ભગવન્તને સહજ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય છે. ૮. ભગવન્ત સદા ઉદાસીન હોવા છતાં સદા સતત વિશ્વના ઉપકારક હોય છે. શ્રી હરિભદ્રસૂરિ મહારાજા ગદષ્ટિસમુચ્ચયમા, ઉપાધ્યાય ભગવાન શ્રી યશોવિજયજી મહારાજા દ્વત્રિશદ્ દ્વાત્રિશિ ૧ પ્રકાશ ૧૨ २ धमंगक्ति न हन्त्यत्र मोगयोगो बलीयसी । हन्ति दीपापहा वायुर्वलत न दवानलम् ।। – અધ્યાત્મસાર, ગા. ૧૨૨
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy