SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવ ંતને સ્વાભાવિક દેદીપ્યમાન અગૂઠો અને કાં તે દેવવિકુર્વિત નકલી અંગૂઠા ? ભગવંત જેવું રૂપ જગતમાં કોઈનું પણ ન હેાય એટલું જ નહીં કિન્તુ સર્વ જીવાના સુંદર રૂપને એક પડ બનાવવામાં આવે, તે પણ તે ભગવંતના પગના અંગૂઠાના તેજની આગળ નિસ્તેજ અગારાના ઢગલા જેવા ભાસે. આ થયા ભગવંતના રૂપાતિશય. પણ દેવકૃત અતિશયેામાં એક અતિશય છે સમવસરણમા ભગવ‘તની ચતુર્મુખતા સમવસરણમાં પૂર્વ દિશામાં ભગવંતનું મૂળરૂપ હેાય છે અને બાકીની ત્રણ દિશામાં ત્રણ પ્રતિરૂપ દેવતાએ વિષુવે છે. પૂર્વે આપણે જોયું કે સર્વ દેવતાઓ મળીને પણુ ભગવંતના પગના એક અગૂઠા જેવા એક, અંગૂઠો પણ ન વિદ્યુી શકે, જ્યારે એક જ દેવતા ભગવતનાં સંપૂર્ણ ત્રણ રૂપ બનાવી શકે. આમાં આપણને દેવકૃત અતિશયાનું રહસ્ય મળી આવે છે. ભલે રચે દેવતાએ પણ અતિશય (પ્રભાવ) તે ભગવંતના જ, કારણ કે ભગવ તના પ્રભાવ વિના સર્વાં દેવતાએ મળીને એક અંગૂઠો પણ ન રચી શકે, જ્યારે ભગવતના પ્રભાવથી એક જ દેવતા સ ́પૂર્ણ ત્રણ રૂપ રચી શકે છે. બધા જ દેવતાઓમાં ભગવતના અંગૂઠા જેવો એક અંગૂઠા પણ મનાવવાની શક્તિ નથી, પણ ભગવંતના અચિત્ય તીથ કર નામક રૂપ મહાપુણ્યના ઉદ્દયથી પ્રેરાયેલ એક જ દેવતામા ત્રણ ત્રણ રૂપ રચવા જેટલી શક્તિ ઉત્પન્ન થઈ જાય છે. ૬૭ १ जे ते देवेहि कया, तिदिसि पडिरूवगा तस्स ॥ तेरिपि तप्पभावा, तयाणुरूव हवइ रूव ॥ વિશેષ ભા. ૨, ગા. ૪૪૭ ( ટિપ્પણી ) આવ. મલય, નિયુક્તિ ગા. ૫૫૭ - ――― આવ. મલય. ગા. ૫૫૭ આમા ટીકામા તત્ત્વજ્ઞાવાના અથ સૌર્થ પ્રભાવાત્ એમ કરેલ છે. દેવતાઓએ ભગવતના જે ત્રણ પ્રતિરૂપ ત્રણ દિશાઓમા કરેછે, તે પ્રતિરૂપાનુ રૂપ ભગવ તના પ્રભાવથી ભગવત જેવુ જ થાય છે. ..
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy