________________
10
॥ શ્રી ગૌતમ અષ્ટક |
પ્રસ્તાવના :
ગૌતમ અષ્ટકના કર્તા અજ્ઞાત છે. તેમાં અનંતલબ્ધિનિધાન શ્રી ગૌતમસ્વામીનું વિશિષ્ટ મહાત્મ્ય વર્ણવી, વાંછિતની પ્રાપ્તિની પ્રાર્થના કરવામાં આવી છે.
શ્રી ઇંદ્રભૂતિ વસુભૂતિપુત્ર, પૃથ્વીભવં ગૌતમગોત્રરત્નમ્;
સ્તુવન્તિ દેવાઃ સુરમાનવેન્દ્રાઃ સ ગૌતમો યચ્છતુ વાંછિત મે । (૧)
શ્રી ઇંદ્રભૂતિ વસુભૂતિ અને પૃથ્વી માતાના પુત્ર, ગૌતમ ગોત્રમાં થયેલા છે. સુરો અને માનવો વડે સ્તુતિ કરાયેલા ગૌતમસ્વામી મને વાંછિત આપો.(૧)
શ્રીવદ્ઘમાનાત્ ત્રિપદીમવાપ્ય, મુહૂર્તમાત્રેણ કૃતાનિ યેન;
અંગાનિ પૂર્વાણિ ચતુર્દશાપિ, સ ગૌતમો યચ્છતુ વાંછિત મે ।
(૨)
શ્રી વર્ધમાનસ્વામી પાસેથી ત્રિપદીને ગ્રહણ કરીને ૧૪ પૂર્વાંગોની રચના કરી તેવા ગૌતમસ્વામી મને ...(૨)
શ્રી વીરનાથેન પુરા પ્રણીતં, મંત્ર મહાનંદસુખાય યસ્ય;
ધ્યાયંત્યમી સૂરિવરાઃ સમગ્રા, સ ગૌતમો યચ્છતુ વાંછિત મે । (૩)
શ્રી મહાવીરસ્વામી વડે પહેલાં કહેવાયેલો મહાનંદ અને સુખને આપનાર મંત્ર, જેનું ધ્યાન સર્વે સૂરિવરો કરે છે તે ગૌતમસ્વામી મને...(૩)
યસ્યાભિધાનં મુનયોઽપિ સર્વે, ગૃષ્ણન્તિ ભિક્ષાભ્રમણસ્ય કાલેઃ મિષ્ટાન્નપાનામ્બરપૂર્ણકામા; સ ગૌતમો યચ્છતુ વાંછિત મે ।
(૪)
જેમનું નામ સર્વે મુનિઓ ભિક્ષાભ્રમણના કાળે ગ્રહણ કરે છે જે મિષ્ટાન્ન, પાન, અંબરની ઇચ્છાને પૂર્ણ કરે છે. તે ગૌતમસ્વામી મને...(૪)
અષ્ટાપદાદ્રો ગગને સ્વશા યયૌ જિનાનાં પદવંદનાયઃ
નિશમ્ય તીર્થાતિશય સુરેભ્ય;સ ગૌતમો યચ્છતુ વાંછિત મે ।
(૫)
દેવો પાસેથી તીર્થના અતિશયને સાંભળીને જિનેશ્વરોના ચરણને વંદન કરવા માટે ગગનમાં સ્વશક્તિથી અષ્ટાપદ પર્વત પર ગયા તેવા ગૌતમસ્વામી મને...(૫)
Shri Gautam Ashtak Vol. IV Ch. 214, Pg. 1209-1213 Shri Gautam Ashtak
પ
40 2.