________________
પવિત્ર કલ્પસૂત્ર ઈચ છે. તેમાં અરધા અગર પણ ઇંચની જગ્યામાં વેગવાળાં ચૌદ પ્રાણીઓ વગેરેની રજુઆત કરતાં ચૌદ મહાસ્વમો ચીતરનાર ગુજરાતના પ્રાચીન ચિત્રકારની કલગીરી ઉપર જગતના કોઇપણ કલાપ્રેમીને માન ઉપજ્યા વિના રહે તેમ નથી.
ચિત્ર ૧૮ઃ પ્ર શ્રી મહાવીરનું સમવસરણ. ઈડરની પ્રતના પાના ૫૧ ઉપસ્થી,
આ ચિત્ર અગાઉના ચિત્ર ૧૨ને આબેહૂબ મળતું છે. વિશિષ્ટતા ફકત ત્રણ ગઢ પૈકીના પ્રથમ ગઢમાં મનુષ્ય આકૃતિઓની રજૂઆત કરી, તે રજૂઆત ચિત્રકાર કરવા માં સંપૂર્ણ સફળતા મેળવી શકે છે તે છે. સિવાય ગુજરાતના પ્રાચીન ચિત્રમાં કોઈપણું ઠેકાણે ગઢની અંદર મનુષ્ય આકૃતિઓ રેલી મળી આવી નથી. આખું ચિત્ર મોટે ભાગે સોનાની શાહીથી જ ચીતરેલું છે. ચિત્રનું મૂળ કદ ર૪૨ ઇંચ છે. મૂળ ચિત્ર પરથી ડું મેટું કરાવીને અત્રે રજૂ કરવામાં આવ્યું છે.
ચિત્ર ૧૯ઃ પ્રભુ શ્રી પાર્શ્વનાથ. સારાભાઈ નવાબના સંગ્રહમાંથી. પાટણ બિરાજતા વિદ્વદ્ર મુનિ મહારાજ શ્રી પુણ્યવિજયજી દ્વારા આ ચિત્ર તથા ચિત્ર ૨૦મું મને પ્રાપ્ત થએલાં છે. તે ચિત્રો મૂળ કરતાં સહેજ મોટાં કરાવીને અત્રે આપવામાં આવ્યાં છે.
ક૯પસૂત્રની પ્રતિમાનું આ ચિત્ર લગભગ તેરમી અગર ચૌદમી સદીનાં ચિત્રને બરાબર મળતું આવે છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુના શરીરનો વર્ણ ઘેરો લીલો છે. મસ્તક ઉપરની ધરની સાત કણાઓ કાળા રંગથી ચીતરવામાં આવી છે. આજુબાજુના પબાસનમાં બે ચામરધારી પુરુષાકૃતિઓ તથા મસ્તક ઉપરના ભાગમાં બંને બાજુ એકેક હાથી અભિષેક કરતા હોય રીતે સંઢ ઊંચી રાખીને ઊભેલા ચીતરેલા છે. ઉપરની છતમાં ઉપરાઉપરી ત્રણ છત્રનું ઝુમખું લટકતું છે. આ ચિત્ર તે સમયમાં જિન મંદિરમાં પધરાવવામાં આવતી સ્થાપત્યમૂર્તિઓ અને હાલની ચાલુ સમયમાં પધરાવવામાં આવતી મૂળનાયકની પબાસન સહિતની સ્થા બો વચ્ચે કાંઈ પણ ફેરફાર થવા પામ્યું નથી તેની સાબિતી આપે છે. આ ચિત્રમાં રેખાઓનું જોર બહુ કમી દેખાય છે. - ચિત્ર ૨૦: પ્રભુ શ્રી મહાવીર. સારાભાઈ નવાબના સંગ્રહમાંથી. આ ચિત્ર કઈ શિખાઉ ચિત્રકારે તાડપત્ર ઉપર દેરેલી આકૃતિ માત્ર જ છે. આ ચિત્રકાર શિખાઉ જે હૈોવા છતાં પણ પ્રાચીન ચિત્રકારની માફક આખી આકૃતિ એક જ ઝટકે દેરી કાઢેલી છે.
Plate VI ચિત્ર ર૧ઃ પ્રભુ મહાવીરનું વન-કલ્યાણક ચિત્ર ૧૨ વાળું જ ચિત્ર વર્ણન માટે જુએ ચિત્ર ૧૨નું જ વર્ણન.
ચિત્ર ૨૨: ઈન્દ્રસભા. નવાબ ૧ પરથી આ ચિત્ર અત્રે રજૂ કરેલું છે.
સૌધર્મેન્દ્ર ઈન્દ્રસભામાં બેઠે છે તે સીધ% કે છે? જે બત્રીસ લાખ વિમાનોને અધિપતિ છે, જે રજરહિત આકાશ જેવાં સ્વચ્છ વસ્ત્રો ધારણ કરે છે, જેણે માળા અને મુકુટ યથાસ્થાને પહેરેલાં છે, નવીન સુવર્ણનાં મનહર આશ્ચર્યને કરનારાં આજુબાજુ કપાયમાન થતાં એવાં બે કુંડળ જેણે ધારણ કર્યો છે, છત્રાદિ રાજચિહનો જેની મહઋદ્ધિને સૂચવી રહ્યાં છે, શરીર અને આભૂષણથી અત્યંત દીપ, મહાબળવાળે, મોટા ચશ તથા માહાત્મ્યવાળે, દેદીપ્ય
"Aho Shrut Gyanam"