SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકારની ગતિ, જાતિ વગેરેની પ્રાપ્તિ થાય. ૮ ગેત્ર-જેથી ઉશ્ચપણું કે નીચપણું પમાય. આ આઠ કર્મશત્રુઓ છે. આમાંનાં પ્રથમનાં ચાર આત્માના મૂળ સ્વરૂપને જ ઘાત કરનારાં છે. માટે તેને “ઘાતકર્મના નામે પણ ઓળખાવેલાં છે. બાકીનાં ચાર અઘાતી કર્મ' કહેવાય છે. આદાન ભાંડમાવનિક્ષેપણ સમિતિ પિતાનાં ઉપકરને લેતાં અને મૂકતાં કે વાપરતાં એ જાતની સાવધાની રાખવી જેથી આજુબાજુના કેઈ પણ ચેતનને દુઃખ કે આઘાત ન થાય, પોતાના સંયમ બરાબર સચવાય અને ઉપ કરણે પણ બરાબર સચવાય. અગિક-જે અવધિજ્ઞાન ઉત્પન્ન થયા પછી કેવળજ્ઞાન થતાં સુધી ચાલ્યું જાય નહીં તે. આને માટે “અધેડ વધિક શબ્દ પણ વપરાય છે. આયામ-ઓસામણ-ભાત વગેરેનું એ સામણું, આયુષ્યકર્મ-(જુએ “આઠ કર્મ શત્રુઓ). આરા-જેમ ગાડીનાં ચક્ર-પૈડાંને આરા લગાડેલા હોય છે તેમ કાળચકને પણ આરા હોય છે, આવા આવા છ હેય છેઃ ૧ સુષમસુષમા, ૨ સુષમાં, ૩ સુષમદુષમા,૪ દુષમસુષમા, ૫ દુષમાં અને ૬ દુષમદુષમા. જે સમયે જમીન, વૃક્ષ વગેરેને અને માનના ન્યાય, પુરુષાર્થ, ધર્ય, ક્ષમા વગેરે ગુણોને રસકસ વધારેમાં વધારે હોય તે સુષમસુષમ-સુખમસુખા-કાળ. જે સમયે સુષમસુષમા કાળ કરતાં ડી ઉણપ આવેલી હોય તે સુખમાકાળ. જે સમયે સુખમાકાળ કરતાં વધારે ઊણપ આવેલી હોય અને સુખનું પ્રધાનપણું હાવા સાથે દુઃખ પણ દેખાતું હોય તે સુષમદુષમાકાળ. જે સમયે દુઃખનું પ્રધાનપણું હોવા સાથે સુખ પણ દેખાતું હોય અને જમીન, વૃક્ષોના ગુણના તથા માનના પૂર્વોક્ત માનચિત ગુણોનો હાસ વધુ પ્રમાણમાં જણાતો હોય તે દુષમસુષમકાળ. જે સમયે જમીન તથા વૃના ગુણોન તથા પૂર્વોક્ત માનવેના ગુણેને હાસ સવિશેષ પ્રમાણમાં જણાય અને દુ:ખનું જ પ્રધાન પણું દેખાય તે દુધમાકાળ. અને જે સમયે કેવળ દુઃખ જ દુ:ખ જણાય અને બીજા કોઈ રસકસ કે ગુણેને વધારેમાં વધારે પ્રમાણમાં હાસ થયેલ હોય તે દુષમદુષમાં કાળ. આગળના ત્રણે આરાનું નામ ઉત્સપિણ કહેવાય છે અને પાછળના ત્રણ આરાનું નામ “અવસપિણું કહેવાય છે. આર્તધ્યાન-મનને, ઇન્દ્રિયોને, દેહને કે પરિસ્થિતિને અપ્રિય કે પ્રતિકૂળ સંગો આવતાં મનમાં જે કલેશ થાય, વિકલ કે કુવિક આવે અને તેમને દૂર કરવા માટે મનમાં જે ચિંતા થાય તે આર્તધ્યાન.આર્ત "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy