SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ એટલે રાજ ચલાવ્યું અને તેસઠ લાખ પૂર્વ વરસ જેટલો સમય રાજ્યવાસમાં વસતાં તેમણે, જેમાં ગણિત મુખ્ય છે અને જેમાં શકુનરુતની એટલે પક્ષીઓના અવાજે ઉપરથી શુભઅશુભ પારખવાની કળા છેલી છે એવી બહોંતેર કળાઓ, સ્ત્રીઓના ચોસઠ ગુણે અને સે શિલ્પો એ ત્રણે. વાનાં પ્રજાના હિત માટે ઉપદેશ્યાં-શીખવ્યા, એ બધું શીખવી લીધા પછી સો રાજમાં સો પુત્રોને અભિષેક કરી દીધો. ત્યાર પછી વળી, જેમનો કહેવાને આચાર છે એવા લેકાંતિક દેએ તેમની પાસે આવીને પ્રિય લાગે એવી યાવત્ વાણીવડે તેમને કહ્યું ઈત્યાદિ બધું જેમ આગળ આવેલું છે તે જ પ્રમાણે કહેવાનું છે–ચાવતું “ભાગદારને દાન વહેંચી આપીને ત્યાં સુધી પછી જે તે ગ્રીષ્મ ઋતુને પ્રથમ માસ પ્રથમ પક્ષ એટલે ચૈત્ર માસનો ૧૦ દિ. પક્ષ જ્યારે આવ્યો ત્યારે તે ચિત્ર ૧૦ દિ. આઠમના પક્ષમાં દિવસના પાછલા પહેરે જેમની વાટની પાછળ દે મનુષ્ય અને અસુરની માટી મડળી ચાલી રહી છે એવા કાલિક અરહત અષભ સંદશના નામની શિબિકામાં બેસીને યાવતુ વિનીતા રાજધાની વચ્ચોવચ્ચ નીકળે છે, નીકળીને જે તરફ સિદ્ધાર્થવન નામનું ઉદ્યાન છે, જે તરફ અશોકનું ઉત્તમ ઝાડ છે તે તરફ જ આવે છે, આવીને અશકના ઉત્તમ ઝાડની નીચે શિબિકાને ઊભી રખાવે છે ઈત્યાદિ બધું આગળ આવ્યું છે તે પ્રમાણે કહેવું ચાવત્ “પિતે જ ચાર મુષ્ટિ લેચ કરે છે ત્યાં સુધી. તે સમયે તેમણે પાણી વગરના છ ભક્તનું તપ કરેલ હતું, હવે એ સમયે આષાઢા નક્ષત્રને જેગ થતાં ઉગ્રવંશના, ભેગવંશના, રાજન્યવંશના અને ક્ષત્રિયવંશના ચાર હજાર પુરુષ સાથે તેમણે એક દેવદૂષ્ય લઈને મુંડ થઈને ઘરવાસમાંથી નીકળી અને અનુગાર દશાને-ભિક્ષુદશાને સ્વીકારી. ૧૯૬ કેશલિક અરહત અષભે એક હજાર વરસ સુધી હમેશાં પિતાના શરીર તરફના લક્ષ્યને તજી દીધેલ હતું, શારીરિક વાસનાઓને છોડી દીધેલ હતી એ રીતે પિતાના આત્માને ભાવિત કરતાં કરતાં તેમનાં એક હજાર વરસ વીતી ગયાં. પછી જ્યારે જે તે હેમંત ઋતુને ચોથે માસ, સાતમે પક્ષ એટલે ફાગણ માસનો ૧૦ દિ. પક્ષ આવ્યો ત્યારે તે ફાગણ વ૦ દિ અગીયારશના પક્ષે દિવસના આગળના ભાગમાં પુરિમતાલ નગરની બહાર શકટમુખ નામના ઉદ્યાનમાં વડના ઉત્તમ ઝાડની નીચે રહીને ધ્યાન ધરતાં તેમણે પાણી વગરના અમનું તપ કરેલું હતું એ સમયે આષાઢા નક્ષત્રનો જોગ થતાં એ રીતે ધ્યાનમાં વર્તતા તેમને અનંત એવું ઉત્તમ કેવળજ્ઞાનદર્શન ઉત્પન્ન થયું ચાવત્ હવે તેઓ બધું જાણુતા વિહરે છે. ૧૭ કૌશલિક અરહત ત્રષભને ચારાશી ગણે અને ચારાશી ગણધર હતા. કીશલિક અરહત અષભના સમુદાયમાં ઋષભસેન પ્રમુખ શશી હજાર શ્રમણની ઉત્કૃષ્ટ શમણુસંપત હતી. કૌશલિક અહત ઋષભના સમુદાયમાં બ્રાહ્મી વગેરે ત્રણ લાખ આચિકાઓની ઉત્કૃષ્ટ આયિકાસંપત હતી. "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy