SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ** નગરીમાં એક વાર, સાવથી નગરીમાં એકવાર, પ્રણીતભૂમિમાં એટલે વભૂમિ નામના અનાર્ય શમાં એક વાર ભગવાન ચામાસું રહેવા આવ્યા હતા અને તદ્ન છેલ્લું ચેમારું રહેવા ભગવાન મધ્યમા પાવા નગરીમાં હસ્તિપાલ રાજાની માજણી કામદારની કચેરીવાળી જગ્યામાં આવ્યા હતા. ૧૨૩ ભગવાન જ્યારે છેલ્લું ચામાસું રહેવા ત્યાં મધ્યમાં પાવા નગરીમાં હસ્તિપાલ રાજાની મેાજણી કામદારની કચેરીવાળી જગ્યામાં આવેલા ત્યારે તે ચામાસાની વઋતુના ચેાથેા મહિના અને સાતમે પક્ષ ચાલતા હતા, સાતમે! પક્ષ એટલે કાર્તિક માસના વ૦ દ્વિ પક્ષ, તે કાર્તિક માસના વ૦ દિ॰ પખવાડિયાની પંદરમી તિથિ એટલે અમાસ આવી અને ભગવાનની તે છેલ્લી રાત હતી. તે રાતે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યાદુનિયા છોડીને ચાલ્યા ગયા, ફરીવાર જનમ ન લેવા પડે એ રીતે ચાલ્યા ગયા, તેમનાં જનમ જરા મરણનાં તમામ બંધના છેઢાઈ ગયાં અર્થાત્ ભગવાન સિદ્ધ થયા, બુદ્ધ થયા, મુક્ત થયા, દુઃખના અંતકૃત-નાશ કરનારા-થયા, પરિનિર્વાણ પામ્યા અને તેમનાં તમામ દુઃખા હીણાં થઈ ગયાં—ચાલ્યાં ગયાં. ભગવાન જ્યારે કાળધર્મને પામ્યા ત્યારે ચંદ્ર નામના બીજો સંવત્સર ચાલતા હતા, પ્રીતિવર્ધન નામે માસ હતા, નંદિવષઁન નામે પખવાડિયું હતું, અબ્ઝર્વેસ-અગ્ઝિવેશ્મ-નામે તે દિવસ હતા જેનું બીજું નામ ‘વસમ' એમ કહેવાય છે અને દેવાણંદા નામે તે રાત્રિ હતી જેનું બીજું નામ 'નિરઈ' કહેવાય છે, એ રાતે અર્ચે નામના લવ હતા, મુહૂર્ત નામના પ્રાણ હતા, સિદ્ધ નામના સ્નેક હતા, નાગ નામે કરણ હતું, સર્વાર્થસિદ્ધ નામે મુહૂર્ત હતું અને ખરાખર સ્વાતિ નક્ષત્રને ચાગ આવેલા હતે. એવે સમયે ભગવાન કાળધર્મને પામ્યા, દુનિયા છેડીને ચાલ્યા ગયા અને યાવત્ તેમનાં તમામ કુ;ખા તદ્દન હીણાં થઈ ગયાં--તદ્ન છેદાઈ ગયાં. ૧૨૪ જે રાતે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા ચાવત્ તેમનાં તમામ દુઃખા તદ્ન છેદાઈ ગયાં તે રાતે ધણા દેવા અને દેવીએ નીચે આવતાં હાવાથી અને ઉપર જતાં હાવાથી ખુબ ઉદ્યોત ઉદ્યોત પ્રકાશ પ્રકાશ થઇ રહ્યો હતેા. ૧૨૫ જે રાત્રે શ્રમણુ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા માવત્ તેમનાં તમામ દુ:ખા તદ્ન છેદાઈ ગયાં તે રાતે ઘણા દેવા ને દેવીએ નીચે આવતાં હેાવાથી અને ઉજ્જ જતાં હોવાથી ભારે કેટલાહુલ અને ભારે ઘેોંઘાટ થયા હતા. ૧૨૬ જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા ચાવત્ તેમનાં તમામ દુ:ખા તદ્ન છેદાઈ ગયાં તે રાત્રે તેમના પટ્ટશિષ્ય ગૌતમગેત્રના ઈન્દ્રભૂતિ અનગરનું ભગવાન મહાવીરને લગતું પ્રેમબંધન વિન્નિ થઈ ગયું. અને તે ઇન્દ્રભૂતિ અનગારને અંત વગરનું, ઉત્તમે!ત્તમ એવું યાવત કેજ્ઞાન અને દેવદર્શન ઉત્પન્ન થયું. "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy