SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ કરપત્રનિર્યુક્તિ આદિની પ્રતિ પ્રસ્તુત કલ્પસૂત્રની આવૃત્તિ સાથે કલ્પનિયુક્તિ, કપચૂર્ણ અને પૃથ્વીચંદ્રાચાર્યવિરચિત કટિપ્પનક આ ત્રણ વસ્તુ પ્રકાશિત કરવામાં આવી છે એ, ઉયર કહેવાઈ ગયું છે. આ ત્રણે ગ્રંથોની પાંચ પાંચ પ્રતિઓને મેં આદિથી અંતસુધી સળંગ ઉપગ કર્યો છે. એ પ્રતિઓ ખંભાત અને જેસલમેરના જ્ઞાનભંડારની હતી. આ પ્રતિઓને મેં ખાસ કઈ સંકેત કે તેની સંજ્ઞા રાખી નથી. પણ જે પાઠ એક પ્રતિમાં હોય તેને ઘરચ૦ કે પ્રસન્ન થી જણાવેલ છે અને જે પાઠ ઘણી પ્રતિમાં હોય ત્યાં ઘરસજી એમ પાઠભેદ સાથે જણાવ્યું છે. ઉપરોક્ત બધી જ પ્રતિઓ તાડપત્રીય પ્રતિઓ છે અને તે તેરમા અને ચૌદમા સિકામાં લખાએલી છે. અર્થાત મેં મારા સંશોધન માટે પ્રાચીન પ્રતિએ કામમાં લીધી છે. નિયુક્તિ અને ચૂર્ણની ભાષા ઉપર જેમ કલ્પસૂત્ર માટે કહેવામાં આવ્યું છે તેમ નિર્યુક્તિ-ચૂર્ણોની જે પ્રાચીન પ્રતિઓ મારા સામે છે તેમાં ભાષાપ્રયોગેનું વૈવિધ્ય ધણું છે. આ ભાષાવૈવિધ્ય અને તેના મૌલિક સ્વરૂપને વિસરી જવાને કારણે આજની જેમ પ્રાચીન કાળના સંશોધકોએ પણ ગ્રંથોમાં ઘણું ઘણું ગેટાળા કરી નાખ્યા છે. આ ગોટાળાઓનો અનુભવ પ્રાચીન પ્રતિ ઉપરથી ગ્રંથનું સંશોધન કરનારને બહુ સારી રીતે હોય છે. આવા પાઠેનાં ઢગલાબંધ ઉદાહરણે આપી શકાય તેમ છે. તે છતાં હું અહીં માત્ર પ્રસ્તુત કલ્પચૂર્ણમાંથી એક જ ઉદાહરણ આપું છું, જે ઉપરથી વિદ્વાનેને ખ્યાલ આવશે કે-આવા પાઠેના સંશોધકને શાબ્દિકશુદ્ધિ સિવાય અર્થસંગતિ વિશે કશું ય ધ્યાન નથી હતું. પ્રસ્તુત કલ્પસૂત્રની ચૂર્ણમાં (પૃ. ૯૪માં) જ ઇસિસ જ આ શુદ્ધ પાઠ લેખકના લિપિદોષથી ની લિપિ ત પાઠ અના ગયે અને ઘણી પ્રતિઓમાં આ પાઠ મળે પણ છે. આ પાઠ કઈ ભાગ્યવાને સુધારવા પ્રયત્ન કર્યો અને તેને બદલે તેમણે સિનિ પાઠ કર્યો, જેની અર્થદષ્ટિએ સંગતિ કશી જ નથી. ખરી રીતે ના વળfafકનાં તિ (. મા પરિણ7 fસ) અને અર્થ નિગદ અથવા ફગ ન વળે” એ છે. આવા અને આથીએ લિપિષ આદિના મોટા ગોટાળાઓ ચૂર્ણ ગ્રંથમાં ઘણું જ થયા છે. અને આ બધા ગોટાળાઓ આજના મુદ્રિત ચૂર્ણમાં આપણને જેમના તેમ જોવા મળે છે. અહીં પ્રસંગોપાત જૈન મુનિવરની સેવામાં સવિનય પ્રાર્થના છે કે જેન આગમ અને તે ઉપરના નિયુક્તિભાગ્ય-ચૂર્ણ આદિ વ્યાખ્યાગ્રંથનું વાસ્તવિક અધ્યયન અને સંશોધન કરવા ઈચ્છનારે પ્રાકૃતાદિ ભાષાના ગંભીર જ્ઞાન માટે શ્રમ લેવો જોઇએ. આ જ્ઞાન માટે માત્ર ભગવાન શ્રી હેમચન્દ્રાચાર્યકૃત પ્રાકૃત વ્યાકરણ જ બસ નથી. પ્રાકૃતભાષાના અગાધ સ્વરૂપને જોતાં આચાર્ય શ્રી હેમચંદ્રકૃત પ્રાકૃત વ્યાકરણ એ તે પ્રાકૃતભાષાની બાળપણથી જ બની જાય છે. એટલે આ માટે નિયુક્તિ-ભાગ્ય-ચૂર્ણ આદિ ગ્રાનું "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy