SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ e પ્રારંભમાં લખાયેલી અનેક પ્રતિએ આજે વિદ્યમાન છે, જેમાં પ્રસ્તુત કલ્પસૂત્ર આઠમાં અધ્યયન તરીકે સળંગ અને સંપૂર્ણ લખાએલું છે. આથી કોઇને એમ કહેવાને તે કારણ જ નથી રહેતું કે સ્થાનકવાસી અને તેરાપથી સંપ્રદાય સામે કોઈ કલ્પિત આરાપાં ઊભા કરવા માટે કે કલ્પિત ઉત્તર આપવા માટેના સાધન તરીકે આ સૂત્ર રચી કાઢવામાં આવ્યું છે. જે આમ હેત તે સ્વતંત્ર કલ્પસત્રની કે એ કલ્પસૂત્રગભિત દશાશ્રત્રક ધસૂત્રની આજે વિક્રમસ’વત ૧૨૪૭થી લઈને જે અનેકાનેક પ્રાચીન તાડપત્રીય અને કાગળ ઉપર લખાયેલી પ્રતિએ મળે છે તે આજે મળતી જ ન હેાત. તેમ જ ઉપર જણાવેલી પ્રતિ ઉપરાંત નિર્યુક્તિ અને ચૂર્ણિમાં આ કલ્પસૂત્રનું વ્યાખ્યાન કરવામાં આવ્યું છે તે પણ ન હેાત. પ્રસ્તુત કલ્પસૂત્ર સાથે પ્રસિદ્ધ કરેલી નિર્યુક્તિ અને ચૂર્ણી, એ કોઇ સ્વતંત્ર વ્યાખ્યા થા નથી, પરંતુ દશાશ્રુતસ્ક ંધસૂત્ર ઉપરની નિર્યુક્તિ અને ચૂ”એમાંથી કલ્પસૂત્ર પુરતા જુદે પાડી લીધેલા અંશ જ છે, એ ધ્યાનમાં રહે. કલ્પસૂત્રનું પ્રમાણ કલ્પસૂત્ર, કેવડું અને કેવા સ્વરૂપમાં હાવું જોઈએ, એ વિષે મારે પાશ્ચાત્ય વિદ્વાને અને તેમના મતને માન્ય કરનાર આપણા દેશના વિદ્વાનો એક જુદી જ માન્યતા ધરાવે છે. તેમનું ધારવું છે કે-કલ્પસૂત્રમાં ચાક સ્વપ્ન આદિને લગતાં કેટલાંક આલ'કારિક વને વગેરે કસૂત્રમાં પાછળથી ઊમેરાએલાં છે. સ્થવિરાવલી અને સામાચારીને કેટલાક અંશ પણ પાછળથી ઊમેરાએલા હોવાના સ'ભવ છે. આ વિષે મારા અધ્યયનને અંતે મને જે જણાયુ છે તે અહીં જણાવવામાં આવે છે— આજે આપણા સમક્ષ કલ્પસૂત્રની જે પ્રતિએ છે, તે પૈકી ખંભાતના શ્રીશાંતિનાથના તાડપત્રી, ભડારની પ્રતિ વિ॰ સ૦.૧૨૪૭માં લખાએવી હોઇ સૌ કરતાં પ્રાચીન છે; તેમાં ચાદ સ્વપ્નને લગતા વર્ણક ગ્રંથ ખીલકુલ છે જ નહિ. તેમ જ મેં મારા સહશેધનમાટે જે છ પ્રતિનો સ'પૂર્ણપણે ઉપયોગ કર્યો છે તે પૈકી ૪ અને એ એ પ્રતિમાં સ્વપ્નને લગતા વણૅકગ્રંથ પ્રકારાન્તરે અને અતિ સક્ષિપ્ત છે. જ્યારે બીજી પ્રતિમાં વર્તમાનમાં પ્રચલિત સ્વપ્ન વિષેના વર્ણકગ્રંથ અક્ષરશઃ મળે છે. આ રીતે ચાદસ્વપ્ન વિષે ત્રણ વાચનાન્તરે મારા જોવામાં આવ્યાં છે. શ્રીમાન શિકાર અને તેમને પગલે ચાલનાર ટિપ્પ નકકાર પણ સ્વપ્નસંબંધી વણૅકગ્રંથ માટે સર્વથા ચૂપ જ છે, સ્વપ્નસંબંધી વર્ણકગ્રંથના એક પણ શબ્દની તેએ વ્યાખ્યા નથી કરતા. આ બધું જોતાં સ્વપ્ન સંબંધી પ્રચલિત વકગ્રંથ અંગેના મૈાલિકા વિષે જરૂર શંકાને સ્થાન છે. પરંતુ તે સાથે બીજો પ્રશ્ન એ ઊભેા થાય છે કે ત્રિશલા ક્ષત્રિયાણી ચાદ સ્વપ્નાને જોઈને જાગે છે, એ ચાક સ્વપ્નાના નામ પછી तर तरणं सा तिसला खत्तियाणी इमे पयारूवे ओराले बोद्दस महासुमिणे पासिता વહિપુરા સૂત્ર આવે છે; અર્થાત્ ત્રિશલા ક્ષત્રિયાણી આ અને આ પ્રકારનાં ઉદાર ચંદ મહાસ્વપ્નને જોઈને જાગી” એ સૂત્રમાં આ અને આ પ્રકારનાં ઉદાર” એ વાક્ય "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy