SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ કારબલ, સકારઅહુલ આદિ પ્રાકૃતભાષાપ્રયોગો વિષે , તે તે પ્રદેશની પ્રાકૃત ભાષામાં કે ભાષાપ્રિયતાને લક્ષીને વહેંચણી કરવામાં આવી છે તે, તે કાળમાં ભલે પ્રચલિત કે ઉચિત હિ; પરંતુ પાછળના જમાનામાં તે પ્રાકૃતભાષા દરેકે દરેક પ્રદેશમાં ખીચડું બની ગઈ છે અને તે જ રીતે વિવિધ કારણોને આધીન થઈને જૈન આગમોની માલિક ભાષા પણ ખીચડું જ બની ગઈ છે. એટલે જૈન આગમની માલિક ભાષાનું અન્વેષણ કરનારે ઘણી જ ધીરજ રાખવી જરૂરી છે. - સૂવાંક–આજે આપણા સામે કલ્પસૂત્રની જે પ્રાચીન પ્રતિએ તાડપત્રીય કે કાગળની વિદ્યમાન છે, તે પૈકી કઈમાં પણ સૂત્રોના એકે નથી. માત્ર સોળમા સત્તરમાં શકાની, ખાસ કરી સત્તરમા સૈકાની પ્રતિઓમાં સૂત્રકની પદ્ધતિ મળે છે. પરંતુ તે સૂત્રાંક સંખ્યા ઘણીવાર તે મેળ વિનાની જવામાં આવે છે. એટલે મેં જે સૂવાંક આપ્યા છે તે મારી દષ્ટિએ આપ્યા છે. ઉપર જણાવેલી પ્રતિઓમાં ઘેરાવલીમાં સૂવાંક છે જ નહિ અને સામાચારમાં પણ કેટલીકમાં જ મળે છે; પરંતુ આ રીતથી એ પ્રતિઓમાં મોટે ભાગે સૂત્રાંકેનું અખંડપ જળવાયું નથી. જ્યારે મેં સૂત્રકોનું અખંડપણે જાળવવા પ્રયત્ન કર્યો છે. મેં જે સૂત્ર વિભાગ કર્યો છે તેના એચિત્ય-અનૌચિત્યપણાની પરીક્ષાનું કાર્ય વિદ્વાનોને સોંપું છું.. સંક્ષિપ્ત અને બેવડાપાઠેકલ્પસૂત્રની પ્રાચીન અર્વાચીન પ્રતિઓમાં કઈમાં કેઈ ઠેકાણે તો કોઈમાં કોઈ ઠેકાણે એમ, વારંવાર આવતા શબ્દો કે પાઠાને સંક્ષિપ્ત કરવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે રાજા ને બદલે તેવા, સામસામ ને બદલે આ ા ા ણા કે સંત છે કે એક એમ કરવામાં આવ્યું છે. ખંભાતની સં. ૧૨૪૭માં લખાયેલી પ્રતિમાં પ્રાચીન લેખન પરમ્પરા જળવાયેલી હેઈ કારણ છે અથવા રાણા અને કઈ ઠેકાણે સરળ એમ કરેલ છે. ત્યાં એક શબ્દથી ચાર શબ્દ સમજી લેવાના હોય ત્યાં ચારના અંક તરીકે જ ૩ કે ૪ અક્ષરને પ્રયોગ કરવામાં આવતો. આ જ પ્રમાણે ત્યાં શબ્દો સમજી લેવાના હોય ત્યાં છ સંખ્યાના સૂચક તરીકે જ જા કે શક અક્ષર વાપરવામાં આવ્યું છે. તાડપત્રીય પ્રતિઓમાં એક બાજુ આ અક્ષરાંકો દ્વારા જ પત્રાંક સૂચવવામાં આવે છે. જેમને આ અક્ષરાંકનું જ્ઞાન નથી હોતું તે આવા અક્ષરાંકને ગ્રંથમાંના ચાલુ પાઠના અક્ષર તરીકે માની લેવા કે અસંગતિ કરવા પ્રયત્ન કરે છે અથવા એ અક્ષરાંકને નકામા સમજી કાઢી નાખે છે. આ અક્ષરાંકેનું જ્ઞાન પાછલ્લા જમાનામાં વીસરાઈ જવાને લીધે ગ્રંથોમાં ઘણા ગોટાળા થયા છે અને પ્રતિઓનાં પાના અસ્તવ્યસ્ત રીતે લખાઈ ગયાં છે. જેની માઠી અસર આપણે પૂજ્યપાદ આગમોદ્વારક આચાર્ય ભગવાન શ્રીસાગરાનન્દસૂરીશ્વરજી મહારાજના અનુગદ્વારણિ આદિના સંપાદન અને સંશોધનમાં જોઈ શકીએ છીએ. પૂજ્યપાદશ્રી સમક્ષ આદશા અસ્તવ્યસ્ત આવ્યા અને તેઓ વધારે પ્રત્યન્ત મેળવવાની આવશ્યકતા નહોતી ગણતા, એટલે ઉપરોક્ત અસરનું પ્રતિબિમ્બ તેમના સંપાદનમાં આવી જ જાય એમાં શંકાને સ્થાન જ ન હોય. આ તો થઈ સંક્ષિપ્ત પાઠોની વાત. હવે આપણે બેવડાએલા પાઠે વિષે જોઈએ--- "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy