________________
પવિત્ર કલ્પસૂત્ર બંને પડખે ચામર વીંઝાવા લાગ્યા અને તેઓની પાછળના અશ્વોના હર્ણહણાટથી દિશાએ ગઈ રહી, નેવિકુમારની પાછળ બીજા અનેક રાજકુમાર અશ્વ ઉપર સ્વાર થઈ ચાલવા લાગ્યા, સમુદ્રવિજયાદિ દશાહ, કૃષ્ણ અને બળભદ્ર વગેરે આત્મીય પરિવાર પણ સાથે ચાલવા લાગ્યો, શિવાદેવી માતા અને સત્યભામા વગેરે અંતઃપુરવાસીની છીએ પણ મહામૂલ્યવાળી પાલખીમાં બેસી મંગલ ગીત ગાવા લાગી.
એટલામાં નેમિકુમારની નજર એક સફેદ મહેલ તરફ ગઈ. તેમણે પિતાના સારથિને પ્રચંદ મગલના સમૂહથી શોભતો આશ્ચત મહેલ કેનો હશે?” સારથિએ તે મહેલ તરફ આંગળી ચીંધી કહ્યું: “સ્વામી! કેલાસના શિખર સમે એ આલિશાન મહેલ, બીજ કેઈન નહિ, પણ આપના સસરા ઉગ્રસેન રાજાને જ છે અને આ સામે જે બે સ્ત્રીઓ અંદરઅંદર વાતચીત કરી રહી છે તે આપની સ્ત્રી -રાજીમતિની ચન્દ્રાનના તથા મૃગલોચના નામની બે સખીઓ છે.”
ચિત્રમાં નેમિકુમાર હાથી ઉપર બેઠેલા છે. તેમના મસ્તક ઉપર એક છત્ર ધરેલું છે, એ હાથમાં શ્રીફળ પકડેલું છે અને તેઓ ઉત્તમ વસ્ત્રાભૂષણથી સુસજિજત થએલા છે. સામેના મહેલને ઝરૂખામાં જમણી બાજુએ વચ્ચે ડાબા હાથમાં મુખ જોવા માટે દર્પણ લઈને બેઠેલી, વઆભૂષણથી સુસજિતરાજીમતિ નેમિકુમારના સન્મુખ જોતી બેઠેલી છે. તેણીની પાછળ અને આગળ તેની બે સખી એ ચન્દ્રાનના અને મૃગલેચના ઊભી છે પાછળ ઊભી રહેલી સખી ડાબા હાથમાં કપડું પકડીને તેના છેડાથી પવન નાખી રહી છે. તેણીના ઉત્તરીય વસ્ત્રમાં હંસની ડિઝાઇન છે. સન્મુખ ઊભી રહેલી સખીના બે હાથમાં શ્રીફળ જેવી કાંઈક મંગલસૂચક વસ્તુ છે. હાથીની આગળ ચિત્રના ઉપરના તથા નીચેના ભાગમાં ભૂંગળો વગાડનારા ભૂંગળ વગાડે છે. વરસે એક સ્ત્રી જમણા હાથમાં કુલ ૫કડીને નાચતી તથા તેણીની નજીક એક હેલી ઢોલ વગાડતો દેખાય છે. ઢોલીની પાછળ અને હાથીની પાછળ એકેક છત્ર ધરનાર માણસ છે. વળી હાથીની પાછળ બીજા ઘોડેસ્વાર રાજકુમાર તથા રથમાં બેઠેલા સમુદ્રવિજયાદિ દશા હોય એમ લાગે છે. ચિત્રમાં રથને બળદને બદલે ઘડા જોડેલા છે, જે ચિત્રકારના સમયના રિવાજને
ખ્યાલ આપે છે. પાનાની ડાબી બાજુના છેડે પાનાને ૬૩ આંક છે. આ જ ચિત્ર ઉપરથી પંદરમાં સિકાના પુરુષ અને સ્ત્રીઓના પહેરવેશ, આભૂષણો, વાજિંત્રો, નૃત્ય તથા તે સમયની સમાજ રચનાનો ઘણો જ સંદ૨ ખ્યાલ આવી શકે તેમ છે. આખું ચિત્ર સુવર્ણની શાહીથી ચીતરેલું છે. ચિત્રમાં લખાણનું નામ નિશાન પણ નથી. વળી આ ચિત્રની પૃષ્ઠભૂમિ વાદળી રંગની હોવાથી ચિત્રને ઉઠાવ બહુ જ મનહર લાગે છે.
આ ચિત્ર-પ્રસંગ જિનમંદિરના લાકડાનાં કેતરકામ તથા સ્થાપત્ય કામમાં પણ ઘણે ઠેકાણે કોતરેલો નજરે પડે છે. દેલવાડાના સુપ્રસિદ્ધ અપ્રતિમ સ્થાપત્યના ભંડારસમાં વસ્તુપાલ તેજપાલે બંધાવેલા જિનમંદિરમાં પણ આ પ્રસંગ બહુ જ બારીકીથી કતરેલે છે. પ્રાચીન કવિઓએ આ પ્રસંગ પરથી ઉપજાવેલાં ઊમિકા પણ બહુ જ મોટી સંખ્યામાં મળી આવે છે. આ પ્રસંગને લગતા એક ભિત્તિચિત્રનો ઉલેખ પાર્શ્વનાથ ભગવાનના વિરાગ્ય પ્રસંગે, નવમાં સૈકામાં થએલા શીલાંકાચાર્ય રચેલા “ચપન મહાપુરુજ ચરિએન્ટમાં કરેલું જોવામાં આવે છે જે
"Aho Shrut Gyanam"