________________
પવિત્ર કલ્પસૂત્ર
Plate LXIII
ચિત્ર૨૫૮ઃ બ્રાહ્મણી દેવાનંદા અને ચાદસ્વમ. હંસ વિ.૨.ના પાના ૩ ઉપરથી, વર્ણન માટે જુએ આ જ પ્રસગને લગતું ચિત્ર ૧૭નું વર્ણન.
Plate LXIV.
ચિત્ર ૨૫૯: આર્યધર્મ ઉપર દેવે ધરેલું છત્ર, હંસવિ. ૧ના પાના ૭૩ ઉપરથી. ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગેા છે. કથાના પરિચયની શરૂઆત ઉપરના ચિત્રથી થાય છે. ‘શીલલબ્ધિથી સપન્ન અને જેમના દીક્ષામહેાત્સવમાં દેવે એ ઉત્તમ છત્ર ધારણ કર્યું હતું તે સુવ્રત ગાત્રવાળા આર્યધર્મને હું વૃંદું છું.’૧ આર્યધર્મ બે હાથ જોડીને ગુરુની સન્મુખ બેઠા છે. ગુરુમહારાજ માથે વાસક્ષેપ નાખતા દેખાય છે. ગુરુની પાછળ એક નાના સાધુ હાથમાં દંડ, પાત્ર તથા મગલમાં આધા રાખીને ઊભા છે. આર્યધર્મની પાછળ દેવ પેાતાના જમણા હાથથી છત્ર પકડીને તેએના મસ્તક ઉપર ધરતે ઊભા છે. દેવને ચાર હાથ છે. દેવના પાછળના જમણું! હાથમાં દંડ છે. ઉપરના ભાગમાં એ પોપટ ચીતરેલા છે. આ પછી ચિત્રના અનુસધાને નીચેના ચતુર્વિધ સઘના વંદનને પ્રસ`ગ જેવાને છે. ચિત્રમાં એ સાધુએ, એ શ્રાવકો તથા એ શ્રાવિકાએ એ હસ્તની અંજલ જોડીને શ્રી આર્યધર્મની સ્તુતિ-હુમાન કરતાં દેખાય છે.
ચિત્ર ૨૬૦ઃ પુસ્તકાલેખન. કાંતિત્રિ, ૧.ના પાના ૮૪ ઉપરથી. વીરનિર્વાણુ સંવત ૯૮૦ વિ.સ’, ૫૧૦(ઇ.સ. ૪૫૩)માં દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણના આધિપત્યપણા નીચે આગરા પુસ્તકારૂઢ થયાં. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે. કથાના પરિચયની શરૂઆત ઉપરના પુસ્તકા લેખનનાં ચિત્રથી થાય છે. ચતુર્વિધ સંઘ સમક્ષ ભદ્રાસન ઉપર બેસીને શ્રીદેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ ડાબા હાથમાં પુસ્તક તથા જમણા હાથમાં પકડેલી લેખનથી પુસ્તક લખતા હુંય એમ લાગે છે. સામે એ સાધુએ તથા એ શ્રાવકો હસ્તની અંજલિ જોડીને બેઠેલા છે. આ પછી ચિત્રના અનુ સધાને, નીચેના પુસ્તક સુધારવાની પદ્ધતિના પ્રસંગ જોવાના છે. ગુરુમહારાજ ગ્રંથ સુધારતા જગ્ણાય છે કારણ કે સામે બેઠેલા શિષ્યના હાથમાં મષીભાજન પકડેલું છે. પંદરમા સૈકાના સમયની લેખનપદ્ધતિ તથા ગ્રંથસુધારણા પદ્ધતિને સુંદર પુરાવે આ ચિત્ર આપણને પૂરા પાડે છે.
ર
ચિત્ર ૨૬૧ઃ ચતુર્વિધ સંઘ, હુંસવ. ૧ના પાના ૮૬ ઉપરથી. ચિત્રના ઉપરના ભાગમાંથી અનુક્રમે પહેલી લાઈનમાં છ દેવા, બીજીમાં પાંચ દેવી, ત્રીજીમાં પાંચ સાધુએ, ચોથીમાં પાંચ સાધ્વીઓ, પાંચમીમાં પાંચ ગૃહસ્થા તથા છઠ્ઠી છેલ્લી લાઇનમાં પાંચ શ્રાવિકાઓ વગેરે ચતુર્વિધ સ ંઘ શ્રમણ ભગવાન મહાવીરના ગુણગાન કરતા દેખાય છે. પંદરમા સૈકામાં સાધુ, સાધ્વી, શ્રાવક તથા શ્રાવિકાઓના પહેરવેશેાની સુંદર રજૂઆત આ ચિત્ર કરે છે.
Plate LXV
ચિત્ર ૨૬૨ઃનવનિધાન, કુસુમ, પાના ૫૭ ઉપરથી. શ્રમણ ભગવાન મહાવીરના ગર્ભનું દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાંથી ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં પરાવર્તન કર્યાં પછી, તિાં લેકમાં
• वंदामि अज्जधम्मं च सुब्वयं सीललट्री से उन्नं ।
ગમ નિલમળે રે, છત્ત યમુત્તમં ચ ॥ ૩૧ || ૭ |
“Aho Shrut Gyanam"
—મૂત્રકૃષ્ટ ૨૨.