SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪. પાત્ર કપત્ર ત્યાં સુધી તેમની પર નેહ ધરાવનાર શ્રી ગૌતમસ્વામીને કેવલજ્ઞાન ઉત્પન્ન ન થયું, પરંતુ ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા જાણીને, તેમને રાગ ગુરૂભક્તિમાં પરિણમ્ય અને પ્રભુના વિરહમાંથી ઉદ્દભવેલે ખેદ, કેવલજ્ઞાન પ્રાપ્ત કરાવવામાં સાધનભૂત થયા. ચિત્રની મધ્યમાં સાત પાંખડીવાળા વિકસિત સુવર્ણ કમલ ઉપર પદ્માસનની બેઠકે ગૌતમસ્વામી બંને હાથ અભય મુદ્રામાં રાખીને બંને બાજુએ બંને હસ્તની અંજલિ જોડીને ધર્મોપદેશ આપતાં દેખાય છે. ગૌતમસ્વામીના મસ્તકની પાછળ ભામંડલ છે અને મસ્તકના ઉપરના ભાગમાં સુંદર અંદર બાંધે છે. તેઓશ્રીની જમણી બાજુએ ઉપરથી અનુક્રમે બે સાધુ અને એક સાધ્વી, તથા ડાબી બાજુએ ઉપરથી અનુક્રમે બે શ્રાવક અને એક શ્રાવિકારૂપ ચતુવિધ સંઘ ધર્મોપદેશ સાંભળ બેઠેલે છે. ચિત્ર ૯૩: પ્રભુ પાર્શ્વનાથનો જન્મ. જીરાની પ્રતના પાન ૫૯ ઉપરથી. ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગે છે. તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના ચિત્રથી થાય છે. ચિત્રમાં સિંહાસન ઉપર જમણુ હાથે તલવાર પકડી રાખીને ઊંચા કરેલા ડાબા હાથમાં રેશમી રૂમાલ પકડી રાખીને અશ્વસેન રાજા સામે બેઠેલી વામાદેવીની સાથે વાતચીત કરતા હોય એમ દેખાય છે. સામે બેઠેલી વારમાદેવી પિતાના જમણા હાથમાં કમલનું કુલ ૫કડી રાખીને અશ્વસેન રાજાને પિતાને આવેલા સ્વપન વૃતાંત કહેતી હોય એમ લાગે છે. વામાદેવીના માથા ઉપર તથા અશ્વસેન તથા તેમની બંનેની વચ્ચે ઉપરની છતમાં ચંદરવા બાંધેલા છે. આ પછી ચિત્રના અનુસંધાને, નીચેના ચિત્રમાં ચીતરેલો પ્રભુ શ્રી પાર્શ્વનાથને જન્મપ્રસંગ જોવાનું છે. વર્ણન માટે જુઓ ચિત્ર ૩૮નું આ પ્રસંગને લગતું જ વર્ણન. આ ચિત્રમાં વામાદેવીના પગ પાસે સ્ત્રી-પરિચારિકા નથી. બાકી બધે પ્રસંગ ચિત્ર ૩૮ને મળતો છે. Plate XXIV ચિત્ર ૯૪ઃ પાર્શ્વનાથ-દીક્ષા. જીરાની પ્રતના પાના ૬૨ ઉપરથી. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે. તેમાં કથાના પરિચયની શરૂઆત નીચેના ચિત્રથી થાય છે. - પાર્શ્વનાથ પ્રભુ વિશાલા નામની પાલખીમાં રત્નજડિત સુવર્ણના સિંહાસન પર પૂર્વદિશા સન્મુખ મુખ રાખીને દીક્ષા લેવા નિકળ્યા. ચિત્રમાં પાલખીની મધ્યમાં પ્રભુ બેઠેલા છે. પાલખીની આગળ એક નગારું વગાડનાર અને શરણાઈ વગાડનારે ચાલ્યો જાય છે. તેવી જ રીતે પાછળ પણ બે જણ વાદ્ય વગાડનારા છે અને નીચેથી ચાર જણાએ પાલખી ઊંચકેલી છે. આ પછી ચિત્રના અનુસંધાને, ઉપરના ચિત્રમાં ચીતરેલે પ્રભુ પાર્શ્વનાથનો પંચમુષ્ટિ લોચને પ્રસંગ જેવા છે. વર્ણન માટે જુઓ ચિત્ર ૫૫નું આ પ્રસંગને લગતું જ વર્ણન. ચિત્ર ૫ પાર્શ્વનાથ નિર્વાણ. જીરાની પ્રતના પાના ૬૫ઉપરથી. વર્ષાકાળના પહેલા મહિ. નાના બીજા પખવાડિયામાં શ્રાવણ શુકલ અષ્ટમીના દિવસે, સમેતશિખર પર્વત ઉપર, જલરહિત માસક્ષમણ(એક મહિનાના ઉપવાસ)નું તપ કરી પાર્શ્વનાથ પ્રભુ નિર્વાણ પામ્યા–મોક્ષે ગયા. ચિત્રની મધ્યમાં સિદ્ધશિલાની આકૃતિ ઉપર વસ્ત્રાભૂષણે સહિત પદ્માસનની બેઠકે નીલ વર્ણવાળા પ્રભુ પાર્શ્વનાથ બેઠેલા છે. પ્રભુના મસ્તક ઉપર નાગરાજની સાત ફણાઓ છે અને સાત ૧ ઈ. "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy