________________
भावः । अत एवात्र चन्द्रोऽपि टिप्पनकापेक्षः । अत्र ज्योतिर्विन कृतजन्मलसापेक्षया लग्नग्रहादि विसवादे:पि न फलविसंवादः । सर्व निमित्तानां शुभाशुभादिज्ञाने एक-- માવિષHI Wવિ વિસંવાવતું નિમિત્તાત્તાવાર
આથી જે ચક્ર બને છે, તે ચક્ર દ્વારા સામુદ્રિકમૃતનું જન્મલમ વિચારવું, જેમને જ્યોતિશાસ્ત્રાનુસારી જન્મપત્ર નથી તેમને આના દ્વારા શુભાશુભનું જ્ઞાન થતું હોઈ
જમત્ર કહેવામાં વાંધો નથી.) જેમ હેય તેમ ગ્રહો આમાં ગોઠવવા. નહિ કે પહેલાં જેમ મેષાદિ રાશિચકમાં ગોઠવ્યા તેમ બારની અપેક્ષાએ ફેરવીને મૂકવા, અને તેથી જ ચંદ્ર પણ ટીપણામાં (પંચાંગમાં) જેમ (જે રાશિમાં) હોય તે રાશિમાં મૂક. અહીં જતિષીની કરેલી જન્મકુંડલીમાં અને આમાં જન્મલગ્ન તથા પ્રહમાં ફેરફાર આવશે, છતાં ફલમાં ફેરફાર નહિ આવે. કારણુ દરેક નિમિત્ત દ્વારા શુભાશુભ જ્ઞાન એક સરખું જ આવે છે. લગ્ન અને ગ્રહોમાં જે ફેરફાર આવ્યો તે તે જુદાં જુદાં નિમિત્ત (પદ્ધતિ) હોવાના કારણે.
અર્થાત્ હસ્તમાં ગ્રંથકારે કપેલી વિધિ મુજબ આવતી કુંડલી જન્મકુંડલી નહિં જ બને. બીજી જ કુંડલી બનશે, એ સ્પષ્ટ છે. એટલે ગ્રંથકારના આ શબ્દોથી સ્પષ્ટ ઘોષણ થાય છે કે હસ્તસંજીવનમાં નષ્ટજાતક પદ્ધતિ નથી. જે છે તે નિમિત્તશાસ્ત્રની એક પદ્ધતિ વિશેષ છે. જેમ જાતકશાસ્ત્રમાં જન્મકુંડલીના અભાવમાં પ્રશ્નકુંડલી ઉપરથી જન્મપત્રિકાની માફક જ પ્રશ્નપત્રિકા (પ્રશ્નોત્રી) બનાવાય છે, તેમ આ એક નિમિત્તાન્તરથી કુંડલી (સામુદ્રિક પત્રિકા યા નિમિત્તપત્રિકા કે એવું જ કંઈ નામ યોજી શકાય તેવી) બની.
અહીં ગ્રંથકાર ચૂડામણિશાસ્ત્ર મુજબ અમુક ફલન નામોચ્ચાર કરાવી તેના ઉપરથી જન્મશક, માસ, પક્ષ, તિથિ, ઘટિકા, પળ, લ, ગ્રહ વગેરે શોધી કાઢવાની વિધિ લંબાણ પૂર્વક ભાષ્યમાં સમજાવે છે, અને તે જોઈ સમાજમાં હસ્તસંજીવનમાં નષ્ટ જાતકની પદ્ધતિ છે, તેવી માન્યતા ફેલાએલી છે
ચૂડામણિશાસ્ત્રની પદ્ધતિનું સ્વતંત્ર વિવેચન કરવાનું હોઈ અહીં એટલું જ કહેવાનું છે કે તે દ્વારા બનતી કુંડલી વાસ્તવિક જન્મકુંડલી બનાવવા માટે ગ્રંથકારે દર્શાવી નથી, પરંતુ નિમિત્તાતરથી કેવી રીતે જન્મકુંડલી અને તેને પરિચય માત્ર આપે છે. નષ્ટજાતક નામને એક સ્વતંત્ર વિષય તિ શાસ્ત્રમાં ગૂઢ રૂપે રહેલા છે. રણવીર તિર્મહાનિબંધ વગેરેમાં તેવી પદ્ધતિઓ છે. પરંતુ તે એકદમ બંધ બેસતી થતી હોય તેવી અમારી માન્યતા નથી,