________________
“જૈન સિદ્ધાતના તંત્રીશ્રીને અભિપ્રાય ” રઘાનકવાસીઓમાં પ્રમાણભૂત સૂત્ર બહાર પાડનારી આ એકની એક સંસ્થા છે અને એના આ છેલા રિપોર્ટ ઉપરથી જણાય છે કે તેણે ઘણું સારી પ્રગતિ કરી છે તે જોઈ આનદ થાય છે
મૂળ પાઠ, ટીકા, હિન્દી તથા ગુજરાતી અનુવાદ સહિત સૂત્રે બહાર પાડવા એ કાઈ સહેલું કામ નથી એ એક મહાભારત કામ છે અને તે કામ આ શાસ્ત્રોદ્વાર સમિતિ ઘણી સફળતાથી પાર પાડી રહી છે તે સ્થાનક વાસી સમાજ માટે ઘણા ગૌરવને વિષય છે અને સમિતિ ધન્યવાદને પાત્ર છે
સમિતિ તરફથી નવ સૂત્રે બહાર પડી ચૂકયા છે. હાલમાં ત્રણ સૂત્રે છપાય છે નવ સૂને લખાઈ ગયા છે અને જબૂદ્વીપપ્રજ્ઞપ્તિ તથા નદીસૂવ તૈયાર થઈ રહ્યા છે
- હાલમાં મત્રી શ્રી સાકરચંદ ભાઈચદ સમિતિના કામમા જ તેમને આ વખત ગાળે છે અને સમિતિના કામકાજને ઘણે વેગ આપી રહ્યા મના ખત માટે ધન્યવાદ
અને આ મહાભારત કામના મુખ્ય કાર્યકર્તા તે છે વયોવૃદ્ધ પડિત પૂલ્ય મુનિશ્રી શામીલાલજી મહારાજ મૂળ પાઠનું સંશોધન તથા સંસ્કૃત ટીકા તેઓશ્રી જ તૈયાર કરે છે મુનિશ્રીને આ ઉપકાર આખાય સ્થા જૈન સમાજ ઉપર ઘણે મહાન છે એ ઉપકારને બદલે તે વાળી શકાય તેમજ નથી
પરંતુ આ સમિતિના મેમ્બર બની, તેના બહાર પડેલા સૂરે ઘરમાં વસાવી તેનું અધ્યયન કરવામાં આવે તે જ મહારાજશ્રીનું શેડુ ણ અદા કર્યું ગણાય
ભગવાને કહ્યું છે કે પરમ જાળ તો ચા પહેલું જ્ઞાન પછી દયા, દયા ધર્મને યથાર્થ સમજ હોય તે ભગવાનની વાણીરૂપ આપણા સૂત્રો વાચવા જ જોઈએ તેનું અધ્યયન કરવું જ જોઈએ અને તેને ભાવાર્થ યથાર્થ સમજ જોઈએ
એટલા માટે આ શાસ્ત્રોદ્ધાર સમિતિના સર્વ સૂવે દરેક સ્થા જેને પિતાના ઘરમાં વસાવવા જ જોઈએ સર્વ ધર્મજ્ઞાન આપણા સૂત્રોમાજ સમા ચેલુ છે અને તે સૂત્રો સહેલાઈથી વાચીને સમજી શકાય છે, માટે દરેક સ્થા જન આ સૂત્રો વાચે એ ખાસ જરૂરનું છે
“જૈન સિદ્ધાત” ડિસેમ્બર-૫૬