SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ - - પહોંચ્યા ત્યાંથી પગે ચાલીને ખીચન ઉપાશ્રયમાં બિરાજતા મુનિવરના દર્શન કર્યા વંદણા નમસ્કાર કરી સુખશાતા પૂછી, બહાર નીકળ્યા અને પિતાના સામાયિકના કપડા પહેર્યા અને પછી પૂજ્ય શ્રી મુનિવરોની સન્મુખ સામાયિક કરવા બેઠા, તેમાં “નવ નિ વઝુવામિ દુવિ તિવિí” ના બદલે “નાવ ની પન્નુવામિ તિવિદ્દ સિવિન” બોલ્યા તે શ્રી લાલચંદજી મહારાજે સાંભળ્યું અને તેઓશ્રીએ પૂછયું કે વિનોદકુમાર ! તમે આ શું કરે છે, તેનો જવાબ આપવાને બદલે “ગાળે વોસિરામિ” બલી પાઠ પૂરો કર્યો અને પછી વિનયપૂર્વક બે હાથ જોડીને બેલ્યા કે “સાહેબ! એ તે બની ચૂકયું અને મેં સ્વયમેવ દીક્ષા લઈ લીધી, તે બરાબર છે અને તેમાં કોઈ ફેરફાર થઈ શકે તેમ નથી. આ સિવાય આપશ્રીની બીજી કોઈપણ પ્રકારની આજ્ઞા હોય તે ફરમાવે.” તે જ દિવસે બપોરના શાસ્ત્રજ્ઞ પૂ મુનિશ્રી સમર્થલાલજી મહારાજ સાહેબે શ્રી વિનોદકુમાર મુનિને પિતાની પાસે બોલાવ્યા અને સમજાવ્યા કે “તમે એક સારા ખાનદાન કુટુંબની વ્યક્તિ છે. તમારી આ દીક્ષા અંગીકાર કરવાની રીત બરાબર નથી કારણ કે તમારા માતા પિતાને આ હકીકતથી દુઃખ થાય અને તેથી મારી સંમતિ છે કે રજોહરણની ડાંડી ઉપરથી કપડું કાઢી નાખે જેથી તમે શ્રાવક ગણાવ અને જરૂર પડે તે શ્રાવકને સાથ લઈ શકો, એમ ત્રણવાર પૂ. મહારાજશ્રીએ સમજાવેલા પરંતુ તેમણે ત્રણેય વખત એક જ ઉત્તર આપેલ કે “જે થયુ, તે થયું હવે મારે આગળ શું કરવું તે ફરમાવે. શ્રી વિનોદમુનિના શ્રી સમર્થમલજી જેવા મહામુનિના પ્રશ્નના જવાબ પછી ખીચનને ચતુર્વિધ સંઘ વિચારમાં પડી ગયે અને મુનિશ્રીઓ પર સંસારીઓને કોઈ પણ પ્રકારને આ નિષ્કારણ હુમલો ન આવે તે માટે વિને દમુનિને જણાવવામાં આવ્યું કે “અમારી સલામતી માટે તમારે જાહેર નિવેદન બહાર પાડવાની જરૂર છે” ત્યારે શ્રી વિનોદ મુનિએ પિતાના હસ્તાક્ષરે નિવેદન શ્રીસંઘ સમક્ષ પ્રગટ કર્યું, તેને સારા નીચે મુજબ છે મારા માતા-પિતા મહિને વશ થઈને દીક્ષાની આજ્ઞા આપે તેમ ન હતા અને “બસંહ વિ # જમાચ”ને આધારે એક ક્ષણ પણ ક્ષિાથી વંચિત રહી શકું તેમ નથી, એમ મને લાગ્યું. શ્રી લાલચંદજી મહારાજ સાહેબ-વગેરેએ મને મારી દીક્ષા માટે વિચારી પછી કરવાનું કહેલ પરંતુ મને
SR No.009319
Book TitleBhagwati Sutra Part 09
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages770
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy