________________
સમય માત્રને પ્રમાદ કરે ઠીક ન લાગે, તેથી શ્રી અરિહંત ભગવતે તથા શ્રી સિદ્ધ ભગવંતની સાક્ષીએ મારા ગુરુ મહારાજ સમક્ષ પ્રવજ્યાને પાઠ ભણીને મારા આત્માના કલ્યાણ માટે મેં દીક્ષા અંગીકાર કરી છે. સમાજને ટે
ખ્યાલ ન આવે કે મારી દીક્ષા ક્ષણિક જુસ્સાથી અગર ગેરસમજથી થઈ છે તેથી તથા સમાજમાં જૈનશાસનની પ્રભાવના થાય તે હેતુથી મારે મારે વૃત્તાંત પ્રગટ કરવો ઉચિત છે.
ઉત્તરાધ્યયન સૂત્રના ૧૯ માં અધ્યયનપરથી મને લાગ્યું કે મનુષ્ય જીવનનું ખરૂં કર્તાવ્ય મેક્ષફળ આપનારી દીક્ષા જ છે.
છેવટ સુધી મેં મારા બાપુજી પાસે દીક્ષા માટે આજ્ઞા માગી અને તે વખતે પણ પહેલાંની જેમ વાત ઉડાવી દીધી અને અનંત ઉપકારી એવા મારા બાપુજી સમક્ષ હું તેમને કડક ભાષામાં પણ કહી શકતું ન હતું અને બીજી બાજુથી મને થયું કે આયુષ્ય અશાશ્વત છે અને આવા ઉત્તમ કામ માટે મારે જરાપણ પ્રમાદ કરે ઉચિત નથી. તેથી મેં વિચારીને આ પગલું ભર્યું છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે, શ્રી વીરપ્રભુ મહાવીર સ્વામીને સકળ સંઘ મારા આ કાર્યને અનુમોદશે જ “ તથાસ્તુ”.
રાજકેટમાં શ્રી વિનોદકુમારના ગયા પછી પાછળથી ખબર પડી કે વિનોદકુમાર કેમ દેખાતા નથી, એટલે તપાસ થવા માંડી, ગામમાં ક્યાંય પત્તો ન લાગે એટલે બહારગામ તારો કર્યા, કયાંયથી સંતોષકારક સમાચાર સાંપડ્યા નહીં, અર્થાત્ પત્તો મળે જ નહીં. આમ વિમાસણના પરિણામે પિતાશ્રીને બે મહીના પહેલાંની એક વાતની યાદી આવી. તે એ હતી કે તે વખતે શ્રી વિનોદકુમારે આજ્ઞા માગેલી કે “બાપુજી! આપની આજ્ઞા હોય તે આ ચાતુર્માસ ખીચન (રાજસ્થાન) જાઉં, કારણ કે ખીચનમાં પૂ. ગુરુમહારાજ શ્રી સમર્થમલજી મહારાજ કે જેઓ સિદ્ધાંત વિશારદ છે અને એકાંતવાદના પૂરા જાણકાર છે, તેઓ ત્યાં બિરાજમાન છે. જેઓશ્રી પાસે શાસ્ત્રાભ્યાસ કરવા માટે પૂ. શ્રી લાલચંદજી મહારાજ આદિ ઠાણું ૪ જવાના છે. તે મારી ઈચ્છા પણ ત્યાં તેમની પાસે જવાની છે. ”
આ વાતચીતનું સ્મરણ પિતાશ્રીને આવવા સાથે તેઓએ પ. પૂર્ણચંદ્રજી. દકને પિતાની પાસે બે લાવ્યા અને વિનેશકુમાર માટેની પિતાની ચિંતા વ્યક્ત કરી. પતિજીનું આ વાતને સમર્થન મળ્યું, તેઓશ્રીએ જણાવ્યું કે થોડા સમય પૂર્વે વિનોદકુમારે મારી પાસે જાણવા માગ્યું હતું કે, ખીચનમાં કેવા