________________
૧.
૨.
૩.
૪.
૫.
૬.
૭.
૮.
૯.
(૩૫૫)
પત્ર નં. ૨૦૦
૧૨.
મુંબઈ, માહ સુદ, ૧૯૪૭
વચનાવળી
(સંતનો અદ્ભુત માર્ગ)
જીવ પોતાને ભૂલી ગયો છે, અને તેથી સત્ સુખનો (પદનો) તેને વિયોગ છે; એમ સર્વ ધર્મે સમ્મત કર્યું છે.
પોતાને ભૂલી ગયા રૂપ અજ્ઞાન જ્ઞાન મળવાથી નાશ થશે; એમ નિઃશંક
માનવું.
જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થાય છે, એ સ્વાભાવિક સમજાય છે છતાં જીવ પોતાનું અજ્ઞાન વિચારતો નથી.
જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છવી તેણે જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું, પોતાની ઈચ્છાએ પ્રવર્તતાં અનાદિ કાળથી રખડયો.
જ્યાં સુધી જ્ઞાનીની ઈચ્છાએ અર્થાત્ આજ્ઞાએ નહિ વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થશે નહીં.
જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એક નિષ્ઠાએ તન, મન, ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય.
જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી. આ અનાદિકાળનું ગુપ્ત તત્ત્વ સંતોનાં હૃદયમાં રહ્યું તે પાને ચઢાવ્યું છે.
આમાં કહેલી વાત સર્વ શાસ્ત્રને માન્ય છે.
6
ઋષભદેવજીએ પોતાના પુત્રોને ત્વરાથી મોક્ષ થવાનો છેવટે એ જ ઉપદેશ કર્યો હતો.
૧૦. પરિક્ષિત રાજાને શુકદેવજીએ એ જ ઉપદેશ કર્યો છે.
૪
૧૧.
અનંતકાળ જીવ પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહિ; પરંતુ એક પળમાં જ્ઞાનીની આજ્ઞાનો આરાધક જ્ઞાન પામે.
શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ જીવને યોગ્ય થવા માટે છે; મોક્ષ થવા માટે
L