________________
:
5.4
- *.*
(૨૯૭)
*
*
-
*** :
-
iP
-
11'r --1
*
*
*
પરંતુ (૧) આજ્ઞા કોઈ જીવાત્માને પ્રત્યક્ષ સત્પરુષથી સ્વમુખે પ્રાપ્ત થઈ હોય છે, (૨) કોઈને પ્રત્યક્ષ સત્પરુષના કહેવાથી અન્ય જીવાત્મા આજ્ઞા કરે છે, જેમ કૃપાળુદેવે સોભાગભાઈને કહેલું કે મુનિને આમ કહેજો, તેમ) અને (૩) કોઈ જીવ પ્રત્યક્ષ સત્પરુષથી પ્રાસ આજ્ઞા, આજ્ઞા આરાધક જીવાત્માને જોઈ, તે આરાધક સાચા પુરુષની સત્ય રીતે આજ્ઞા ઉપાસે છે એવા વિશ્વાસથી તદનુસાર તે પ્રત્યક્ષ પુરુષની આજ્ઞા આરાધકને થયેલ આશા, પોતાના આત્માને હિતકારી જાણી, તે આરાધક પાસેથી જાણી, સમજ ઉપાસે છે. જેમ વણાગ નટવરને પ્રત્યક્ષ પુરુષથી આજ્ઞા પ્રાપ્ત થયેલ અને તેની તે ઉપાસના જોઈ “વણાગ નટવર સાચા પુરુષની સાચી રીતે આજ્ઞા ઉપાસે છે” એવી શ્રદ્ધાથી તેનો દાસ “આ વણાગ નટવર છે અને જેમ ઉપાસે છે તે મને હો! હું કંઈ સમજતો નથી એમ વિચારતો થયો, આજ્ઞા આરાધક થઈ, કલ્યાણ પ્રાપ્ત થયો.
આ પ્રમાણે અમને જે પ.દેવે આજ્ઞા કરી છે અને જે અમે આરાધીએ છીએ, જેની અમને દઢ શ્રદ્ધા છે, તે અમે તમને આજે સ્પષ્ટ અંતઃકરણે ખુલ્લા શબ્દોમાં કહીએ છીએ, જે અમારા વચન ઉપર તમને વિશ્વાસ છે; શ્રદ્ધા છે કે, આ જે પોતે આરાધે છે તે જ કહે છે.
૫.કૃ.દેવની આજ્ઞા પ્રત્યે પરિણામપૂર્વક દઢ શ્રદ્ધાથી ઉપાસના કરશો તો કલ્યાણ જ છે. એ આજ્ઞા તે “સહજાત્મસ્વરૂપ” એ છે અને એ જ આત્મા છે, એમ દઢ શ્રદ્ધા રાખવી. .
આ તો મેં સાંભળ્યું છે, એમાં બીજું નવું શું છે? એ પ્રકારના વિકલ્પથી સામાન્યપણામાં ન કાઢી નાખવું. આમાં કંઈ અલૌકિકતા રહી છે, એમ માની દઢ શ્રદ્ધાપૂર્વક આરાધન કરવું
મરણ તો સર્વને છે જ દેહ ધર્યો ત્યારથી જ મરણ છે અને તે મરણ સમયની વેદના પણ અસહ્ય હોય છે, ભલભલા ભાન ભૂલી જાય છે. તે વખતે કંઈ પણ યાદ આવી શકતું નથી માટે અત્યારથી જ તેની તૈયારી કરી રાખવી કે સમાધિમરણ થાય.
મરણ અવસરે મને બીજું કંઈ ન હો, આ જ આજ્ઞા માન્ય હો. હું કંઈ