________________
(૨૮૮)
સનાતન ધર્મ સાચા પુરુષની શ્રદ્ધા, પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા એ જ સનાતન ધર્મ (‘તત્ત્વજ્ઞાન’ માંથી “વચનાવલિ' માંથી વંચાવ્યું :) : .
“શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને યોગ્ય થવા માટે કહી છે; મોક્ષ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ”
પ્રભુશ્રી – એ એ મુમુક્ષુ – પ્રત્યક્ષ એટલે ?
પ્રભુશ્રી – આટલું સ્પષ્ટ છતાં ન સમજાય તો આ કાળનું એક વધારાનું અચ્છેરૂ ગણાવું જોઈએ - પ્રત્યક્ષ એટલે જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે તે. શાસ્ત્રમાંથી મળેલું જ્ઞાન અને પ્રત્યક્ષ જ્ઞાની દ્વારા મળેલા ધર્મમાં મોટો ભેદ છે. શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ જ્ઞાનીના હૃદયમાં રહ્યો છે. કાગળ ઉપર અગ્નિ' શબ્દ લખી કરોડો માણસ પોતપોતાની એવી ચિઠ્ઠીઓ રૂની વખારમાં નાખે તેથી રૂ બળે ? પણ પ્રત્યક્ષ સાચા અગ્નિની એક નાની ચિનગારી લાખો મણ રૂમાં પડી હોય તો તે બાળીને ભસ્મ કરી નાખે. તેથી શાસ્ત્રનું જ્ઞાન ગમે તેટલું હોય અને ગમે તેવો ક્ષયોપશમ હોય પણ તે કાગળમાં લખેલી અગ્નિ સમાન છે; પરંતુ આત્માના અનુભવની એક ચિનગારી હોય તો પણ તે સાચા અગ્નિની પેઠે કોટિ કર્મનો ક્ષય કરી મોક્ષ આપે છે.
કર્મ ગમે તેટલા હોય તેથી ગભરાવું નહી, ધીરજથી તે વેદવાં. જ્ઞાન થતાં તે :
કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય (આસિ.૧૧૪) દઢ વિશ્વાસ-તેના નામના જ બલિયા પહેરવા ધર્મ તો આત્મભાવમાં રહ્યો છે.
શ્રી-બાંધેલા છે તે વેદીએ છીએ અને જવા આવેલાં જાય છે, એમ જોઈએ છીએ.
કોઈની ભણી કાંઈ જોવા જેવું નથી. પોતે પોતાનું કરી રહ્યા જવાનો માર્ગ છે.