________________
(૨૪૫)
સાચી સાધના-આત્માની ઓળખાણ જ્યાં લગી આત્મા તત્ત્વ ચિન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી; માનુષાદેહ તારો એમ એળે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ વૂઠી. શું થયું સ્નાન પૂજાને સેવા થકી, શું થયું ઘેર રહી દાન દીધે; શું થયું ધરી જટા ભસ્મ લેપન કર્યું, શું થયું વાળ લોચન કીધે. શું થયું તપ ને તીરથ કીધા થકી, શું થયું માળ ગ્રહી નામ લીધે; શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી શું થયું ગંગાજલ પાન કીધે.
શું થયું વેદ વ્યાકરણ વાણી વધે, શું થયું રાગ ને રંગ જાયે; . શું થયું ખટ દરશન સેવ્યા થકી, શું થયું વરણના ભેદ આયે.
એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા, આત્મારામ પરિબ્રહ્મ ન જોયો; ભણે નરસૈયો કે તત્ત્વ દર્શન વિના, રત્ન ચિંતામણિ જન્મ ખોયો
(નરસિંહ મહેતા)
છે અને
૧૦.
“
' '
!