________________
(૨૧૮)
મથત દૂધ ડોરીનિતે, દંડ ફિરત બહુવાર,
રાગદ્વેષ અજ્ઞાનતે, જીવ ભ્રમત સંસાર. ૧૧ (૧૨) મોક્ષમાં જીવ સુખી રહે છે, પણ સંસારમાં પણ જે સુખી રહે તો સંસારને દુષ્ટ અગર ત્યાગવાયોગ્ય શા માટે કહેવો ?
જબ તક એક વિપદ ટલે, અન્ય વિપદ બહુ આય;
પદિકા જિમ ઘટિયંત્રમેં, બાર બાર ભરમાય. ૧૨ (૧૩) બધાં પ્રાણી કંઈ વિપત્તિમાં ફસેલા નથી. કોઈ-કોઈ સંપત્તિવાન દેખાય છે તો તેમને સુખી માનવા જોઈએ.
કઠિન પ્રાપ્ય સંરક્ષ્ય યે, નશ્વર ધન પુત્રાદિ;
ઈનસે સુખકી કલ્પના,જિમ વૃતસે જવર વ્યાધિ. ૧૩ (૧૪) ધનાદિ આ લોકમાં દુઃખદાયી છેને પરલોકમાં દુઃખ આપે છે તો મને આશ્ચર્ય થાય છે કે લોકો આ ધનાદિ સંપત્તિઓનો કેમ ત્યાગ કરતા નથી ?
પરકી વિપદા દેખતા, અપની દેખે નાહિ;
જલતે પશુ જા વન વિષે, જડ તરૂપર ઠહરાહિં. ૧૪ (૧૫) એનું શું કારણ કે નિકટ આવેલી આપત્તિઓને પણ મનુષ્ય જોઈ શકતો નથી ? તેનું આચાર્ય સમાધાન કરે છે કે પદાર્થોમાં અતિશય ગુદ્ધતા હોવાથીઆસક્તિ હોવાથી ધની લોક આવવાવાળી આપત્તિને જોઈ શકતા નથી.
આયુ ક્ષય ધન વૃદ્ધિકો, કારણ કાળ પ્રયાન;
ચાહત હૈ ધનવાન ધન, પ્રાણનિ તે અધિકાન. ૧૫ (૧૬) ધન વિના પુણ્યબંધના કારણ-દાન, દેવપૂજા વિગેરે થવા અસંભવ છે. ધન પુણ્યનું સાધન છે તો તેને નિંદ્ય શા માટે માનવું ? તેને તો ઉત્તમ માનવું જોઈએ-કારણ કે તેથી પુણ્ય પેદા કરી શકાય છે.
પુણ્ય હેતુ દાનાદિકો, નિર્ધન ધન સંચય સ્નાન હેતુ નિજ તન કુધી, કીચડસે લિમ્પય. ૧૬