________________
(૨૧૬)
ઈટોપદેશ
(પૂજ્યપાદસ્વામી કૃત)
(૧) આચાર્યને જે પરમાત્મપદ પ્રાપ્ત કરવું હતું તે પરમાત્માને નમસ્કાર. સ્વયં કર્મ સબ નાશ કર,પ્રગટાયો નિજ ભાવ; પરમાત સર્વજ્ઞકો, વંદુ કર શુભ ભાવ.
૧
(૨) આત્માને સ્વયં-આત્માના આઠ ગુણોની પ્રગટતારૂપ સિદ્ધિપદની પ્રાપ્તિ (અપનેહી દ્વારા-અપનેહી આત્મસ્વરૂપકી અર્થાત્-(૧) સમ્યકત્વ (૨) જ્ઞાન (૩) દર્શન (૪) વીર્ય (૫) સુક્ષ્મત્વ (૬) અવગાહના (૭) અગુરુલઘુ (૮) અવ્યાબાધ ઈન આઠ મુખ્ય ગુણોંકી પ્રાપ્તિ) કેવા ઉપાયથી થશે ? સ્વર્ણ પાષાણ સુહેતુસે, સ્વયં કનક હો જાય; સુદ્રવ્યાદિ ચારોં મિલેં, આપ શુદ્ધતા થાય.
૨
(૩) જ્યારે સુદ્રવ્ય, સુક્ષેત્ર, સુકાળ, સુભાવરૂપ સામગ્રી મળશે ત્યારે આ આત્મા પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી લેશે તો પછી હમણાં વ્રત વિગેરે કરવા નિરર્થક છે તે પ્રશ્નનું સમાધાન.
મિત્ર રાહ દેખત ખડેં, ઈક છાયા ઈક ધૂપ, વ્રત પાલનસેં દેવપદ, અવ્રત દુર્ગતિ કૂપ.
આત્મભાવ યદિ મોક્ષપ્રદ, સ્વર્ગ હૈ કિતની દૂર, દોય કોશ જો લે ચલે, આધ કોશ સુખપૂર.
૩
(૪) વ્રત વિગેરે પાલનથી અત્યારે સ્વર્ગાદિક સુખ મળશે તો પછી હમણાં આત્માની ભક્તિ કરવાની કંઈ જરૂર નથી. મોક્ષસુખની સામગ્રી મળશે ત્યારે આત્માની ભાવના થઈ રહેશે. હમણાં તેની કોઈ ઉપયોગિતા જણાતી નથી. તેવા પ્રશ્નનું સમાધાન.
૪
(૫) આત્માની ભક્તિ કરવાથી સ્વર્ગ વિગેરે મળે છે, તે સ્વર્ગમાં જવાવાળાને શું ફળ પ્રાપ્ત થશે ?