________________
(પત્ર ૮૧૪)
મુંબઈ, આશો વદ ૧૪, રવિ ૧૯૫૩
શ્રી હરિભદ્રાચાર્યે ‘યોગદષ્ટિસમુચ્ચય' ગ્રંથ સંસ્કૃતમાં રચ્યો છે. શ્રી હરિભદ્રકૃત ‘યોગદૃષ્ટિસમુચ્ચય'ની પદ્ધતિએ ગુર્જર ભાષામાં શ્રી યશોવિજયજીએ સ્વાધ્યાયની રચના કરી છે. શુભેચ્છાથી માંડીને નિર્વાણ પર્યંતની ભૂમિકાઓમાં બોધતારતમ્ય તથા ચારિત્રસ્વભાવનું તારતમ્ય મુમુક્ષુ જીવને વારંવાર શ્રવણ કરવા યોગ્ય, વિચાર કરવા યોગ્ય, અને સ્થિતિ કરવા યોગ્ય આશયથી તે ગ્રંથમાં પ્રકાશ્યું છે. યમથી માંડીને સમાધિ પર્યંત અષ્ટાંગયોગ બે પ્રકારે છે; એક પ્રાણાદિ નિરોધરૂપ, બીજો આત્મસ્વભાવપરિણામરૂપ. ‘યોગદૃષ્ટિસમુચ્ચય’માં આત્મસ્વભાવપરિણામરૂપ યોગનો મુખ્ય વિષય છે. વારંવાર તે વિચારવા યોગ્ય છે.
દૃષ્ટિનું
નામ
૧. મિત્રા
૨. તારા
(૧૮૦)
આઠ યોગ-દૃષ્ટિની સજ્ઝાય
શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાય કૃત
૩. બલા
૪. દીમા
પ. સ્થિરા
૬. કાંતા
૭. પ્રભા
૮. પરા
બોધને
ઉપમા
તૃણ અગ્નિ
ગોમય અગ્નિ
કાષ્ટ અગ્નિ
દીપ પ્રભા
રત્ન પ્રભા
તારાષ્ટ્ર પ્રભા
અર્ક પ્રભા
શશિ પ્રભા
યોગનાં
અંગ
યમ
નિયમ
આસન
પ્રાણાયામ
પ્રત્યાહાર
ધારણા
ધ્યાન
સમાધિ
દોષ
ત્યાગ
ખેદ
ઉદ્વેગ
ક્ષેપ
ઉત્થાન
ભ્રાંતિ
અન્યમુદ્
રોગ
આસંગ
ગુણ
પ્રાપ્તિ
અદ્વેષ
જિજ્ઞાસા
શુશ્રૂષા
શ્રવણ
સૂક્ષ્મબોધ
મીમાંસા
પ્રતિપત્તિ
પ્રવૃત્તિ